વેટરન એક્ટ્રેસ વિદ્યા સિન્હાને હોસ્પિટલમાં એડમિટ કરાયાં

મુંબઈ,
વેટરન એક્ટ્રેસ વિદ્યા સિન્હાની તબિયત અચાનક ખરાબ થઇ ગઈ છે. તેમને ગંભીર હાલતમાં જુહુની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. રિપોટ્ર્સ મુજબ બે દિવસ પહેલાં એક્ટ્રેસની અચાનક તબિયત ખરાબ થતાં તેમને હોÂસ્પટલ ખેસડવામાં આવ્યાં હતાં. તેમની હાલતમાં હજુ કોઈ સુધારો આવ્યો નથી અને તેઓને વેન્ટિલેટર પર જ રાખવામાં આવ્યાં છે. એક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ મુજબ, ૭૨ વર્ષીય વિદ્યાને ફેફસાં અને હૃદય સંબંધી બીમારી છે. અમુક વર્ષ પહેલાં તેમને ફેફસાંની ગંભીર બીમારીમાંથી પસાર થવું પડ્યું હતું. ત્યારથી તે આ બીમારી સામે લડી રહ્યાં છે. પરંતુ હવે તેમને હૃદયની પણ બીમારી થઇ છે. વિદ્યાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘મીરા’, ‘સબૂત’, ‘સ્વયંવર’, ‘લવ સ્ટોરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ટીવી શોમાં પણ કામ કર્યું છે. હાલ સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં પણ તેઓ સામેલ હતાં. વિદ્યા તેમની રીલ લાઈફ સિવાય રિયલ લાઈફને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે ૨૦૦૯માં તેમના બીજા પતિ નેતાજી ભીમ રાવ સાલુંકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે તેના પર મેન્ટલી અને ફિઝિકલી હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. તેમણે પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો જે તેઓ જીતી ગયાં હતાં. ત્યારબાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા હતા.