દામનગરના દહીંથરા ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ શ્રી અલખધણી ગૌશાળા ખાતે ગૌભક્ત શ્રી સ્વ રવજીભાઈ લાલજીભાઈ સુતરિયાનું સંખેડા ખાતે અવસાન થતાં સંખેડા ગૌશાળા સંચાલકના દેહાંવસાનથી સદગતની પ્રાર્થના સભા લાઠી તાલુકાના દહીંથરા ખાતે યોજાઈ હતી જીવદયાના પર્યાય પરમાર્થ માટે સમર્પિત સ્વ રવજીભાઈ લાલજીભાઈ સુતરિયા મૂળ વતન વલ્લભીપુરના રતનપરના સંખેડા ગૌશાળાને સમર્પિત ગૌભક્તનું ગત તા ૨૩/૮ના રોજ દેહાંવસાન થી શોકાતુર જીવદયાના કાર્ય કરતી સંસ્થાઓમાં ઠેર ઠેર પ્રાર્થના સભા યોજાઈ હતી સદગતને શ્રધાંજલિ આપવા સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણીઓ વેપારીઓ ગોસેવકોએ ખૂબ મોટી સંખ્યામાં સદગત સ્વ શ્રી રવજીભાઈ લાલજીભાઈ સુતરિયાને શ્રધાંજલિ આપી હતી જીવદયા પરમાર્થ માટે સંપૂર્ણ જીવન સમર્પિત કરનાર બહોળું મિત્ર વર્તુળ અને જનસંપર્ક ધરાવતા હોવાથી સદગતની પ્રાર્થનાસભામાં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ દરેક ક્ષેત્રની વ્યક્તિઓએ સદગતની પ્રાર્થનાસભામાં શ્રધાંજલિ આપી હતી.