જુનાગઢના માંગરોળમાં કોળી સમાજના ભરડા પરિવારના મોભીનું અવસાન

જુનાગઢના માંગરોળમાં કોળી સમાજના ભરડા પરિવારના મોભીનું અવસાન
Spread the love

માંગરોળમાં તા.૧૦-૦૨-૨૦૨૦ મહા વદ બીજના દિવસે ભરડા પરિવારના સ્વ.ચિમનભાઈ રામચંદ્ર ભરડા (ઉ.વર્ષ.૬૦) {રહે. સિરાજ રોડ, મામલતદાર ક્વાર્ટરની સામે.}કે જેઓ ગુણવંતભાઈ અને ડો. વિનોદચંદ્રભાઈના ભાઈ અને નીતાબેનના પતિ તેમજ કૃણાલભાઈ અને કૃતિબેનના પિતાશ્રી અને ડૉ.નરેન્દ્રભાઈ તથા મહેશભાઈના કાકા થાય છે જેમનુ હદયરોગના કારણે દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા મૃતકના ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી માંગરોળ જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરા દ્વારા “શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર આરેણા”ના સંચાલકને જાણ કરતાં લોએજ ગામના રાજેશભાઈ સોલંકી તેમજ હરદીપસિંહ જેઠવા  દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા.જેમને સહકાર આપવામાં વિશાલભાઈ જોટવા હાજર રહ્યા હતા. આ બંન્ને ચક્ષુ કરશનભાઈ વાજાએ વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડયા હતા.

સ્વર્ગસ્થશ્રી ચીમનભાઈએ ભુલોકને છોડી પરલોક જતા જતા પોતાના ચક્ષુનુ દાન કરીને પોતાનો દેહ પાવન કર્યો છે અને માનવસેવાના કાર્યમાં પોતાનુ યોગદાન આપ્યુ છે તેને શિવમ્ ચક્ષુદાન હંમેશ માટે યાદ રાખશે.અને ખરા હદયથી શ્રધ્ધાંજલી અર્પે છે.તેમજ પંકજભાઈ રાજપરા દ્વારા મળતા સહકાર બદલ તેમનો પણ આભાર માને છે.આ ઉપરાંત માંગરોળ અધ્યારુ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ જરુર પડ્યે સહકાર અને મદદ કરવામાં આવે છે આ તકે અમો તેમના પણ આભારી છે. આ દુઃખદ સમયે પરિવારને સાંત્વના આપવા માટે જાયન્ટ્સ ગૃપના પ્રમુખ પંકજભાઈ રાજપરા,જાયન્ટ્સ યંગસ્ટાર પ્રમુખ અશ્વિનભાઈ કરગઠીયા,રવિભાઈ નંદાણિયા સરપંચશ્રી લોએજ, રાકેશભાઈ ભરડા(ભરડા કેબલ ) તેમજ સગાવહાલાં અને પાડોશીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી આ પરિવારના દુઃખમાં સહભાગી બન્યા હતા.
આ ભરડા પરિવાર ત્રણ પેઢીથી મેડીકલ લાઈન સાથે સંકળાયેલ છે. તેમજ મેડીકલ સેવામાં છેલ્લા ૫૦વર્ષથી રામભાઈ અને તેનો પરિવાર આરેણા ગામ સાથે જોડાયેલ છે. રામભાઈના પુત્ર ડૉ.વિનુભાઈ ભરડાએ B.A.M.S.તરીકે આરેણા ગામમાં સેવા આપેલ છે. ડૉ.નરેન્દ્રભાઈ ભરડા હાલ માંગરોળના વણિક મહાજન હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છે. આ પરિવારનુ મકાન હાલ આરેણામાં છે.

મહર્ષિ દધિચીએ પૂરાણોમાં કરલે વર્ણન મુજબ પોતાના અંગોનુ દાન કર્યુ હતુ.આજના આ ભરડા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાનથી આપણા પૂરાણોના દાનને સાર્થક કર્યો છે. આજના આ ચક્ષુદાનના કાર્યથી તેમણે સમાજને ચક્ષુદાન એ મહાદાનનો મહિમા સમજાવ્યો છે. ભરડા પરિવાર દ્વારા થયેલ આ કાર્યથી અન્ય સમાજને પ્રેરણા મળશે. ભરડા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુકસાહેબ, શ્રી ડુંગગુરુ સ્થા.જૈ ન યુવક મંડળ-જુનાગઢ,સ્વ.લક્ષમણભાઈ એ. નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ તેમજ માંગરોળ તાલુકાના પત્રકાર મિત્રો દ્વારા બિરદાવવામાં આવે છે અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તી પ્રભુ આપે તેવી પ્રાર્થના તેમજ સ્વર્ગસ્થશ્રી ચિમનભાઈના આત્માને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી..

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!