દિલ્હીમાં ‘આપ’ની સરકાર બનતાં રાજકોટ શહેરમાં રેલીનું આયોજન

રાજકોટ શહેર કે શવજી પરમાર આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ તરફથી મળતા સમાચાર મુજબ દિલ્હીમાં ચૂંટણી જીતવાથી ત્રીજીવાર આપની સરકાર બની રહી હોય. જેને લઈને રાજકોટ શહેરમાં ઉપરોક્ત સ્થળે રેલીનું આયોજન કરેલ હતું. આ રેલીમાં 50 જેટલા બાઇકો જોડાયા હતા અને ગુજરાતની પરંપરા મુજબ ગોળધાણા વેચીને ઉજવણી કરવામા આવેલ. આ સમયે રેલીનો રુટ સરદાર પટેલ સ્ટેચ્યુએ ફલહાર કરીને ડૉ.આબેડકર સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવેલા. તેમજ ગાંધીજી ના સ્ટેચ્યુ જયુબેલીબાગે ફુલ હાર કરી, ઢેબરભાઈના સ્ટેચ્યુએ ફુલ હાર કરી રેલી પુરી કરવામાં આવેલ.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)