મોરબી : કોરોના વાયરસ પ્રતિરોધક અમૃતપેય ઉકાળાના વિતરણ

- સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે આ ઉકાળાના વિતરણ કરાયું
મોરબી : મોરબીમાં કોરોના વાયરસ પ્રતિરોધક અમૃતપેય ઉકાળાના વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે આ ઉકાળાનું લોકોને વિતરણ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન તેમજ સુચના મુજબ સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે કોરોના વાયરસ પ્રતિરોધક અમૃતપેય ઉકાળાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉકાળાનું વિતરણ આજે સવારે સરકારી આયુર્વેદ દવાખાનુ, જનરલ હોસ્પિટલ, મોરબી રુમ નં. 31 ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં લોકોને આ ઉકાળાનું વિતરણ કરીને આરોગ્યની કેવી કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જનસામાન્યના આરોગ્યની સુખાકારી માટે આ અમૃતપેયનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરાયો છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી