બીલીમોરા : ગોયદી ગામના શ્રી બાળ ગણેશ બાલ ગણેશ યુવક મંડળ દ્વારા શાળાના બાળકોને વન ભોજન

બીલીમોરા નજીકના ગોયદી ગામના શ્રી બાળ ગણેશ બાલ ગણેશ યુવક મંડળના યુવાનો દ્વારા ગામની પ્રાથમિક શાળાના બાળકોને વન ભોજન કરાવી વિવિધ રમતો પણ પણ રમાડવામાં આવી હતી ગામના યુવાનો દ્વારા ગામલોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે અને શહેરી શાળાઓ જેમ ગામની શાળામાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે માટે આ વર્ષથી પ્રથમ તબક્કે શાળાના બાળકોને વનભોજન કરવામાં આવ્યું હતું અને આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામના યુવાન આગેવાન અને જિલ્લા પંચાયતના જિલ્લા પંચાયત ના નવસારીના સભ્ય વિનોદભાઈ પટેલ તેમજ મંડળ ના આગેવાન પ્રશાંત ભાઈ પટેલ ધવલભાઈ પટેલ રાકેશભાઈ પટેલ વગેરે ગામના બાળકો ગામની શાળામાં શહેરી શાળા જેવું શિક્ષણ મળે અને ભણે એમાંથી ડોક્ટર એન્જીનીયર વકીલ તેમજ ઉદ્યોગપતિ જે ઉચ્ચ અધિકારી બને તે માટે ગામલોકોમાં જાગૃતતા આવે અને પોતાના બાળકોને ગામની શાળામાં ભણાવે તે માટે યુવાનોએ પ્રયાસો શરૂ કર્યા હોવાનું જણાવ્યું આવા કાર્યોમાં ગામલોકો સાથ આપશે અને અને યુવાનોના બાળકો માટેના શિક્ષણ પ્રત્યે અતિ ઉત્સાહ વધારશે એમ જણાવ્યું હતું જે વાતને સૌએ બિરદાવી હતી.