રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વાદળછાયું વાતાવરણ રહેશે
આજે છૂટા છવાયા વરસાદની સંભાવના
ગાંધીનગર,
કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે. હાલમાં જ્યાં જાવ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાય રÌšં છે. પરંતુ એ વચ્ચે ગુજરાત માથે બીજુ સંકટ તોળાઈ રÌšં છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સાયક્લોનિક સક્્ર્યુલેશનથી વાતાવરણમાં ભારે પલટો જાવા મળ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદરૂપી આફત આવવાની તૈયારી છે. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્લુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે આગામી ૪૮ કલાક સુધી રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ બની રહેશે.
ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટોમ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
૨૭ માર્ચના રોજ રાજ્યમાં કચ્છને બાદ કરતા અન્ય જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. ૨૮ માર્ચના રોજ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. જ્યારે ૨૯મી માર્ચના રોજ આખા રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.
કોરોનાના કાળા કહેર વચ્ચે આવી આગાહી લોકોને રાતે પાણીએ રોવડાવે એવું લાગે છે. સાયક્લોનિક સક્્ર્યુલેશનથી વાતાવરણમાં પલટો જાવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવાના કારણે લોકોમાં પણ ચિંતા જાવા મળી હતી. ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ એવી પણ શક્્યતા છે.