રાજકોટ : બાંધકામ સાઈટ પર રહેલા પરપ્રાંતીય મજુરો સાથે વિડીયો કોન્ફરન્સથી પરામર્શ

હાલ તમામ સાઈટો પર ઘણા સમયથી કામ બંધ હોય. તેમજ શહેરની જુદી-જુદી સાઈટ પર મજુરી અર્થે આવેલા મોટાભાગના અટવાયેલા મજુરો પરપ્રાંતીય હોય. તેઓ પોતે પોતાના વતન તરફ જવા પ્રયત્નશીલ છે. આવી પરિસ્થિતિમાં સાઈટ પર રહેલા મજુરોનું મનોબળ જળવાય રહે તે હેતુસર રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા કાર્યરત કંટ્રોલરૂમ તરફથી આ લોકડાઉન દરમિયાન રોકાયેલ. સ્થળાંતર કરતા મજુરો માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મનોવૈજ્ઞાનિક પરામર્શ કરવા જણાવવામાં આવેલ છે. આ માટે નોડલ અધિકારી તથા મનોવૈજ્ઞાનિકની ટીમ ફોરેન્સિક સાયન્સ લેબ. ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)