નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ કોઠારીએ જાહેરનામાની મુદ્દત ફક્ત મયાસી ગામ પુરતી લંબાવવામાં આવી

રાજપીપલા નગરપાલિકાનો વોર્ડ નં. 6, દરબાર રોડ, બહુચર માતાના મંદિરનો ખાંચો, કાલિંદી ડેરીથી મુકેશ સ્ટોર રોડની આસપાસના ૩ કી.મીનો વિસ્તાર તેમજ નાંદોદ તાલુકામાં સમાવિષ્ટ મયાસી ગામના સમગ્ર વિસ્તારને COVID -19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે જાહેરનામાની મુદ્દત તા.૦૩/૦૬/૨૦૨૦ના રોજ સુધીની છે.
તા. ૨૫/૦૫/૨૦૨૦ ના રોજ મયાસી ગામમાં COVID -19 ના ૦૩ (ત્રણ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. સબબ તે મુજબ વંચાણના જિલ્લા કલેક્ટર કચેરીના તા. ૨૧/૦૫/૨૦૨૦ના જાહેરનામાની મુદ્દત જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એમ. આર. કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ ફકત મયાસી ગામના સમગ્ર વિસ્તાર પુરતી તા. ૦૭/૦૬/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. તે સિવાયની અન્ય તમામ વિગતો યથાવત રાખવામાં આવેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)