સરકાર સૈયદ અઝીમુદીન મહમૂદ નુરુલ્લાહ જીલાનીયુલ કાદરીનાં 32મા ઉર્સની ઉજવણી

ગુજરાતનાં વડોદરા નગરમાં આવેલ ધનાનીપાર્ક મેમણ કોલોનીની શું પ્રસિદ્ધ મશહૂરો-મારુફ દરગાહ આવેલ છે. જે ઇસ્લામની અબકરી શકસિયત ઔલાદે રસુલ દિલબંદે અલી વ બતુલ ગુલશને હસની હુસૈની શગુફ્તા ના ફૂલ શહેઝાદા -એ ગૌષે આઝમ મખદૂમેં ગુજરાત હુઝુરે સૈયદ અઝીમુદીન મહમુદ નુરુલ્લાહ જીલાનીયુલ કાદરી, ચિસ્તી, રિફાઈ, અલય્હિર્ર્હ્મા નો 32 માં ઉર્સ ની ઉજવણી અનોખા અંદાજમાં કરવામાં આવાની છે.
આજે સમગ્ર દેશ Covid 19 ની મહામારી થી જઝૂમી રહ્યો હોય. અને દેશમાં કોરોના વાયરસના ઘડિયાળ નાં કાંટા ની ગતિએ કેશો વધી રહયા છે તેને જોતા અગાવથી જ સરકાર સૈયદ અમીરબાવા એ સોશ્યલ મીડિયા ઉપર Audio રેકોડિઁગ દ્વારા સન્દેશો આપવામાં આવ્યો હતો કે સરકાર આઝીમે મિલ્લત નાં અસતાના ઉપર કોઈભી મુરીદ ભાઈઓએ હરગીઝ હરગીઝ આવું નહીં તમો ઘરે રહી તીલાવતે કુરઆન, ફાતેહા ખાની ઘરે રહીને કરવી. અને વડોદરા ખાતે કોઈએ પણ આવવાની ઝહેમત ઉઠાવી નહીં.
વધુમાં જયારે જયારે પણ ઉર્સની ઉજવણી આવતી હોય ત્યારે ત્યારે શ્રધાળુઓ મુરીદિન ભાઈ ઈદની ખુશીની જેમ ઉજવણી કરતાં હોય છે અને દર વર્ષે અઝબડી મિલ યાકુતપુરા થી જુલુસે અઝીમીનું આગ્હજ થતું હોય છે. જે ઝૂલુસ નાઅત, મન્કબત પઢીને. યાકુતપુરા, માંડવી, ખાટકીવાળા, જહાંગીરપુરા, બાવામાનપુરા થઈ મેમનકૉલોની ખાતે દરગાહ શરીફ પર પહોંચતું હોય છે. અને આ જુલુસ જ્યાં સુધી પૂર્ણ નાં થાય ત્યાં સુધી પોલીસ પ્રસાસન ખડા પગે પોતાની ફરજ બજાવતા હોય છે. પરંતુ આ વર્ષે Covid-19 નાં કહેર ને જોતા ખાનકાહે અહેલે સુન્નત ની જાનીબથી સરકારશ્રીની ગાઈડ લાઈન ને ધ્યાને લઈ 10 થી 15 શ્રદ્ધાળુઓ એજ સંદલ શરીફ તારીખ 04/06/20 ને ગરૂવારના રોજ સંધ્યા કાળનાં સમયે સન્દલ શરીફ ચડાવવામાં આવ્યો હતો.
આ વર્ષે 32 વર્ષની ઉજવણી દરમ્યાન જે લાખોની સંખ્યાની જનમેદની જોમળતી હૈ તે જોવાનાં મળતા શ્રદ્ધાળુઓ અને મુરીદિન ભાઈઓની લાગણી દૂભાઈ હતી. પરંતુ કુરબાન જાએ સરકારે સૈયદ મોઈને મીલ્લત અને તેઓના ખાનદાન પર કે જેઓ એ આવા કાળ જાળ મહામારીમાં પણ દેશ વિદેશ નાં મુફ્તીએ ઈકરામ, ઓલ્માએ ઈકરામ અને સૂફી સંતો નો પ્રવચન તકરીર. સન્ની મુસ્લિમો અને મુરીદિન ભાઈઓ સુધી પહોંચાડવા માટે તારીખ : 06/06/20 રાત્રી 9:30 કલાકે યૂટ્યૂબ AZIMI AUDIO CHANNEL ઉપર દેશો દુનિયાના મશહુરો મારુફ ઓલ્માએ ઈકરામ નો તકરીરી પોગ્રામ LIVE પ્રસારિત કરવાનાં છે જેથી શ્રદ્ધાળુઓ અને મુરીદીનભાઈઓ આ CHANNEL ને SUBSCRIBED બેલ આઇકોન દબાવી ને નિહાળી શકશે.
જેથી કોઇ પણ શ્રધ્ધાળુઓ વડોદરા ખાતે નાં આવે અને ઘરે રહો સુરક્ષિત રહો નો સંદેશો આપેલ છે અને વધુમા દર વર્ષે આસ્તાનાએ આઝીમે મીલ્લત ઉપર સમૂહ લગ્ન નું આયોજન પણ ની શુલ્ક કરમાં આવતો હોય છે અને અહીંયા ગરીબી અમીરી નો ભેદ ભાવ રાખી સમું લગ્નો નું આયોજન કરવામાં આવતો હોય છે. પરંતુ Covid19 ની મહામારી ને જોતા આ સમૂહ લગ્ન નો પોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો છે. અને શ્રદ્ધાળુઓ અને મુરીદિન ભાઈઓ ને અપીલ કરવામાં આવી છે કે ઘરે રહી અલ્લાહ ની બારગાહમાં દુવાઓ કરો કે આ કોરોના વાયરસ થી સમગ્ર દુનિયાને મુક્તિ મળે. અલ્લાહ સરકાર સૈયદ આઝીમે મીલ્લત નાં સદકામાં આ કોરોના કહેર થી અમારા દેશને જલ્દ થી મુક્ત કરે અને દેશમાં એમનો સુકુન અને એકતા થી રહે તેવી દુવાઓ પર્થનાઓ કરવા અપીલ કરી હતી.
ખાનકાહે અહેલે સુન્નત ઝિંદાબાદ
ઇરફાન શેખ (પંચમહાલ)