જૂનાગઢ : માળિયાહાટીના આઇટીઆઇ પ્રવેશસત્ર 2020 એડમીશન અંગે
જૂનાગઢ : માળિયાહાટીના સ્થિત આઇટીઆઇ ખાતે પ્રવેશસત્ર ૨૦૨૦ માટે એડમીશન પ્રક્રિયાની શરૂઆત થઇ ગઇ છે. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા સંચાલિત ઐાઘોગીક તાલીમ સંસ્થા માળિયાહાટીના ખાતે કાર્યરત છે. સંસ્થામાં પ્રવેશસત્ર ૨૦૨૦ માટે એડમિશન અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થયેલ છે.
જેમાં આઇટીઆઇમાં ઉપલબ્ઘ વાયરમેન, વેલ્ડર, ફિટર,અને કોમ્પ્યુટર ટ્રેડ માટે ઘો. ૮ થી ૧૦ પાસ ઉમેદવારોએ રૂબરૂ સંપર્ક કરવા માળિયાહાટીના આઇ.ટી.આઇ ની અખબારી યાદીમાં જણાવાયુ છે.વઘુ માહિતી માટે ઉમેદવારોએ આઇ.ટી.આઇ. ગલોદર-માળિયા રોડ માળિયાહાટીના તેમજ ફોન-૦૨૮૭૦-૨૨૨૧૨૫ પર સંપર્ક કરવો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ