જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 2 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર

Spread the love

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૨ અને ૮ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ વોર્ડ નં.૨ જોષીપરા વિસ્તારમાં આવેલ નંદનવન માર્કેટ પાસે અયોધ્યા એપાર્ટમેન્ટનો ચોથો માળ આખો.વોર્ડ નં.૮ માત્રી રોડ પર આવેલ અજંટા ટોકીઝની પાછળ અમરદીપ એપાર્ટમેન્ટ આખુ માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

જયારે વોર્ડ નં.૨ જોષીપરા વિસ્તારમાં આવેલ નંદનવન માર્કેટ પાસે અયોધ્યા એપાર્ટમેન્ટનો પહેલો, બીજો અને ત્રીજો માળ આખો. વોર્ડ નં.૮ માત્રી રોડ પર આવેલ અજંટા ટોકીઝની પાછળ અમરદીપ એપાર્ટમેન્ટનાં ખુણેથી એકતા એપાર્ટમેન્ટ તેમજ સામેની બાજુ દાનીસ મંઝીલ અને અલ હમીન પાર્કનાં ખુણા સુધીનો વિસ્તાર બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામું તા.૧૮ નવેમ્બર સુધી અમલમાં રહેશે. માઈક્રો કન્ટેનમેન્ટ એરીયાની અને બફર ઝોન એરીયાની ગાઈડલાઈન મુજબ સેનીટાઈઝેશન,ડીસઈન્ફેકશન તથા કોવીડ-૧૯ સંબંધીત ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.આ જાહેરનામાંનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!