થરાદ : નહેરમાંથી મળેલી લાશ દાડમના વેપારીની થઈ ઓળખ
થરાદની નહેર માંથી અજાણ્યા ઈસમ ની લાશ મળી આવી હતી જેને સ્થાનિક લોકો દ્વારા જાણ કરી ને થરાદ પોલીસ પીએસઆઇ અને તરવૈયાઓની મદદથી બહાર નિકાળવામાં આવી હતી જેની ઓળખ કાલે મોડા થઈ હતી જેનું નામ સંજયભાઈ માળી જે ડીસાનો વતની છે. જે દાડમનો વેપારી છે જે દાડમ ની ખરીદી કરવા થરાદ પંથકમાં અવાર-નવાર આવતો હોય છે. જેની હત્યા કરી હાથ બાંધીને કેનાલ માં નાખી દેવામાં આવ્યો હતો. પરીવારજનોને જાણ કરતા થરાદ પોલીસ સ્ટેશનમાં આવીને હત્યા નો ગુનો કલમ નં ૩૦૨,૧૧૪,૨૦૪ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.સંજયભાઈ માળીનો મોબાઈલ ગુમ જણાયો હતો તેમની પાસેથી પેન્ડાઈવ અને ચાવીઓ મળી હતી.પોલીસ ફોન નંબર થી ચકાસણી હાથ ધરી છે.