ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને નશો કરીને ફરનારા તત્ત્વોને પકડવાનું ચાલુ રહેશે

ક્રિસમસનો તહેવાર અને 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટે પોલીસ તંત્રને એલર્ટ રહેવા અને રોજ નશો કરીને વાહન ચલાવતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી, જેના પગલે શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તથા ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી પોલીસની ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાસ પોઇન્ટો ઉપર સઘન ચેકિંગ શરૂ કર્યું છે. પોલીસે બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરીને પીધેલાઓ સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )