થરાદ તાલુકાના આસોદર ગામે વીજ કંપનીની બેદરકારી

થરાદ તાલુકાના આસોદર ગામે વીજ કંપનીની બેદરકારી
Spread the love

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર વીજ કંપની બેદરકારી સામે આવી છે થરાદ તાલુકાના વેપારી ગામ આસોદર ગામે વીજ કંપનીની લાઈન પસાર થાય છે વીજ લાઈન નો પોલ આસોદર બસ સ્ટેન્ડ ની બાજુમાં રસ્તા ને અડી ને ઉભો છે જે ૨૦૧૭ માં આવેલા પુરને કારણે પડી જવા પામ્યો હતો જોકે ગામ લોકો ની મદદથી વીજ પુરવઠો બંધ નાં રહે તેવા પ્રયાસો થી ઉભો કરવામાં આવ્યો હતો.

જોકે ગામ લોકો એ ઉભો કરેલો વીજ પોલ ક્ષતિ વાળો હોવાથી વીજ કંપનીની જવાબદારી બને છે કે સારી રીતે અકસ્માત નાં સજૅન નાં થાય એવી રીતે ઉભો કરવો પરંતુ ઉત્તર ગુજરાત વીજ કંપની ને એમની જવાબદારી હોય એવું લાગતું નથી અને ચાર વર્ષ સુધી જવાબદારી દેખાતી નથી .ગામ લોકો ની આંખે દેખાતો વીજ કંપનીના કમૅચારીઓ ને કેમ દેખાતો નથી તેવો પ્રશ્ન ઉભો થાય છે.વીજ પોલ ૧૫ ફુટ થી પણ નીચો હોવાથી અવાર નવાર ઘાસચારો ભરીને જતા વાહનો ને અડચણ ઉભી કરે છે આગ લાગવાનો સંભવ રહે છે વીજ કંપની પોલ ને ઠીક કરશે કે મોટા અકસ્માત ની રાહ જોશે એતો સમય જ બતાવશે.

રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)

IMG_20210412_165634.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!