થરાદ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ટુંક સમયમાં બનશે

- ગૌતમ અદાણીનાં સહયોગથી થરાદમાં ઓક્સિજન પ્લાન્ટ
થરાદનાં ધારાસભ્યએ આજે કોરોનાની લડાઇમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં સૌ પાસેથી મદદરૂપ બનવા અપીલ કરવામાં આવી હતી. થરાદનાં પ્રખ્યાત બિઝનેસમેન તરિકે ઓળખ ધરાવતા ગૌતમ અદાણીને પણ પોતાના વતનનાં થરાદવાસીઓને મદદ કરવાનું આહવાન કર્યું હતું. જેના પગલે આજે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા ઓક્સિજનનો પ્લાન્ટ સ્થાપવાની વાત કરી હતી.
જોકે થરાદ વિસ્તારમાં રહેતા લોકો માટે ખુબ ખુશીનાં સમાચાર આવ્યા છે જેમાં થરાદ ખાતે કાયૅરત રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન્ટ ટુંક સમયમાં સ્થાપવામાં આવશે તેવું જણાવ્યું હતું જે પ્લાન્ટ થરાદનાં ગૌરવ સમાન ગૌતમ અદાણી અને કરણ અદાણી નાં સહયોગથી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં થરાદ વાસી ઓને ઓક્સિજન જરુરીયાત મુજબ મળી રહેશે.થરાદ નાં ધારાસભ્ય ની મહેનત અંતે રંગ લાવતી જોવા મળે છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)