વગડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નીલગાયનું રેસ્કીયુ
ઝાલાના મુવાડા, ગામ-કસૈયા, તાલુકો-બાયડ, જી-અરવલ્લી ગામના મોહનસિંહ ભાથીસિંહ પરમારના ખેતરમાં આવેલા 50 ફુટ કુવામાં નીલગાય પડી જતા “વગડો ચેરીટેબલ ટ્રસ્ટ – બાદરપુરા” ને જાણ કરતાં સંસ્થાના સ્વયંસેવકો ઓમપ્રકાશ વણકર,કુંદન ગોસ્વામી, પ્રકાશ પરમાર,વિશાલ પટેલ,સંયમ શાહ તથા વનવિભાગ બાયડ ના શ્રી કમલેશ.આર. પરમાર તાબડતોબ સ્થળે પહોંચી ગયા હતા અને ત્રણ કલાકના અથાગ પ્રયત્નો તથા ભારે જહેમતના અંતે રસ્સા અને નેટની મદદથી નીલગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, તથા પશુચિકિત્સા દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, વનવિભાગને સાથે રાખીને છોડવાની કામગીરી કરવામાં આવી હતી.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)