બનાસકાંઠા સાંસદ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 7 વર્ષ સફળ રીતે પુણૅ કરતા અનોખી ઉજવણી

બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં ૭ વર્ષ સફળ રીતે પુણૅ કરતા તેની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જે થરાદ તાલુકાના નાનકડા ગામ માંગરોળ ખાતે ગામ લોકોને કોરોનાથી જાગૃત બનાવી ઉજવણી કરવામાં આવી હતી. જે સુશાસન અને પારદર્શિતાના પ્રતીક એવા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને વડાપ્રધાન પદ પર સેવા અને સંકલ્પના સફળ 7 વર્ષ પૂર્ણ થવા બદલ હાર્દિક શુભકામનાઓ સાંસદ પરબતભાઈ દ્વારા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે માંગરોળ ગામે કોરોના અંગેની જનજાગૃતિ કાર્યક્રમમાં માસ્ક, સેનેટાઈઝર અને આયુર્વેદિક કીટનું વિતરણ કરાયું. માંગરોળ ગામ નાં આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)