તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇનો, વીજપોલ અને સબસ્ટેશનોને ભારે નુકસાન

તાઉતે વાવાઝોડાને લીધે વીજલાઇનો, વીજપોલ અને સબસ્ટેશનોને ભારે નુકસાન યું છે. ગીર-સોમના જિલ્લામાં વાવાઝોડાને લીધે ધરાશયી યેલા મોટા વીજ સબસ્ટેશનોના ટાવરોને ઉભા કરી જેટકો દ્વારા રાત-દિવસની કામગીરી ચાલુ છે. ઉના નજીક ૨૨૦ કેવી હેવીલાઇનનું સબસ્ટેશન વાવાઝોડામાં ધ્વંશ ઇ ગયું હતું. આ કામ પડકારજનક હતું જેટકોએ માત્ર ૭ દિવસમાં આ કામગીરી પુર્ણ કરી છે.
ઉનાના ધોકડવા ૨૨૦ કેવી સબ સ્ટેશનમાં જેટકોના ૨૦ મોટા ટાવરપડી ગયા હતા. ફક્ત ૭ દિવસમાં ગઇકાલે તા. ૨૮-૦૫-૨૦૨૧ નાં રોજ સાંજે ૮:૨૪ મીનીટે આ સબસ્ટેશનમાં પુન:વીજપુરવઠો શરૂ યો હતો.ધોકડવાના સબ સ્ટેશનમાં ૧૦ નવા ટાવર અને ૧૧ ઇ.આર.એસ. ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનનું કામ વહેલાસર પુર્ણ ાય તે માટે ઉર્જામંત્રી સૈારભભાઇ પટેલે મુલાકાત લઇ ભારત સરકારના પાવર ગ્રીડ કોર્પોરેશનને મદદ માટે મોકલેલ હતી.
આ તમામ કામગીરીનું પ્રત્યક્ષ અને પરોક્ષ મોનીટરીંગ માટે ગુજરાત સરકાર, ઉર્જા વિભાગ, ઉર્જા વિકાસ નિગમ, જેટકોના સચિવો, એમ.ડી. અને સીનીયર અધિકારીઓએ દેખરેખ રાખી મોટી સંખ્યામાં એન્જીનીયરોએ જહેમત ઉઠાવી હતી. જે કામ પુર્ણ કરતાએક મહિનાી વધારે સમય લાગે તેવું પડકારજનક કામ જેટકોએ ગીર-સોમનાના ધોકડવામાં સાત દિવસમાં પુર્ણ કર્યું હતું. ગીર-સોમના જિલ્લામાં મોટી લાઇનો માટે જેટકોની ૫૦ ટીમો, પાવરગ્રીડની ૧૦ મળી કુલ ૬૦ ટીમોના ૧૬૦૦ નો મેનપાવર કામ કરે છે.
રિપોર્ટ : વિપુલ મકવાણા અમરેલી