આપના ઉમેદવાર જય વાઘેલા અને તેમના સાથી મિત્રો દ્વારા ફરિયાદ પેટી મૂકવામાં આવી

આમ આદમી પાર્ટી ગાંધીનગરથી જય નવજી વાઘેલા દ્વારા મનપાના વોર્ડ નંબર 2 GEB અમૂલ પાર્લર બસ સ્ટેન્ડ અને આદીવાડા જ્યાં પાનના ગલ્લા પર લોકોની અવરજવર થઇ રહી છે ત્યાં ( જાગશે ગુજરાત – બોલશે ગુજરાત અભિયાન) ની શરૂઆત આજે પેથાપુર ગામના બસ સ્ટેન્ડથી કરવામાં આવી જ્યાં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર જય વાઘેલા અને તેમના સાથી મિત્રો દ્વારા ફરિયાદ પેટી મૂકવામાં આવી જેનો ઉદ્દેશ માત્ર જનતાના પ્રશ્નો જાણવાનો અને આવનારા સમયમાં તેનુ નિરાકરણ લાવવાનો અને તેમની રજૂઆત આમ આદમી પાર્ટી ગાંધીનગરથી જનતા હિત માટે સરકાર સમક્ષ રજુઆત કરાશે જેથી આવનારા સમયમાં જનતાના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે અને જનતાને પડતી મુશ્કેલીઓ માં ઘટાડો થાય.