ભારતના સૌથી મોટા વિટ્રિફાઇડ ટાઇલ્સના પ્લાન્ટની સ્થાપના માટે SUNHEARRT ગ્રૂપે અજંતા ઓરેવા ગ્રૂપ સાથે હાથ મીલાવી ઇતિહાસ રચ્યો

ભારતના સૌથી મોટા વિટ્રિફાઇડ ટાઇલ્સના પ્લાન્ટની સ્થાપના માટે SUNHEARRT ગ્રૂપે અજંતા ઓરેવા ગ્રૂપ સાથે હાથ મીલાવી ઇતિહાસ રચ્યો
Spread the love

આજના સમયમાં ટાઇલ્સ દરેક વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઇ છે. વાત ઘરની હોય, ઓફિસની હોય કે પછી બીજી કોઇ જગ્યાની, ટાઇલ્સ વગર કોઇપણ જગ્યાની કલ્પના કરવી મૂશ્કેલ બની ગઇ છે. ટાઇલ્સ કોઇપણ નિશ્ચિત સ્થાનના ઇન્ટિરિયરની સુંદરતા અને તેના પ્રભાવમાં નોંધપાત્ર વધારો કરે છે. ઉલ્લેખનીય છે કે ટાઇલ્સના ઉત્પાદન ક્ષેત્રમાં ભારત વિશ્વના અગ્રણી ત્રણ દેશોમાં સામેલ છે અને આ ઉદ્યોગ દર વર્ષે 15 ટકાની ગતિથી આગળ વધી રહ્યો છે. સનશાઇન ટાઇલ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં એક પ્રતિષ્ઠિત અને લોકપ્રિય કંપની છે, જે પોતાનો વ્યવસાય સનહાર્ટ બ્રાન્ડના નામે સંચાલિત કરે છે.

મહત્વપૂર્ણ છે કે સનહાર્ટ બ્રાન્ડ ભારતીય સિરામિક ઇન્ડસ્ટ્રીની છઠ્ઠી સૌથી યુવા બ્રાન્ડ બની ગઇ છે. સનહાર્ટ બ્રાન્ડની પ્રોડક્ટ્સમાં આકર્ષક વિવિધતા છે, જેને સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવે છે. આ બ્રાન્ડ પ્રધાનમંત્રી મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ વિઝનને ખરા અર્થમાં સાકાર કરે છે. છેલ્લાં પાંચ વર્ષથી ભારતીય સિરામિક કંપનીના સ્વરૂપે સનહાર્ટની ગણતરી ભારતના સૌથી મોટા નિકાસકર્તા તરીકે થાય છે તથા થ્રી સ્ટાર એક્સપોર્ટ હાઉસનો દરજ્જો પ્રાપ્ત કરનાર પ્રથમ સિરામિક બ્રાન્ડ પણ છે. ટાઇલ્સની ગુણવત્તા અને તેમાં નવીનતા દ્વારા સનહાર્ટ બ્રાન્ડ કંપનીએ કોરોના મહામારી અને આર્થિક મંદી વચ્ચે પણ ગત વર્ષે રૂ. 639 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.

સનહાર્ટ ગ્રૂપના ચેરમેન શ્રી ભુદરભાઇએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારા માટે ગર્વની વાત છે કે અમે આંતરરાષ્ટ્રીય માપદંડો ઉપર ખરા ઉતરવામાં સફળ રહ્યાં છીએ. તેના સંબંધિત અમારા નિર્ણયો ઘણાં મહત્વપૂર્ણ રહ્યાં છે. શ્રી જયસુખભાઇ ભલોડિયાના નેતૃત્વ હેઠળની કંપની અજંતા ઓરેવા ગ્રૂપ સાથે અમારી ભાગીદારી સાથે મળીને કામ કરવાની અદ્ભુત શક્તિનું પ્રતિક છે. ગુજરાત સ્થિત સામખિયાળીમાં ભવ્ય પ્લાન્ટની સ્થાપના દ્વારા અમે ભારતીય ટાઇલ્સ ઉદ્યોગમાં ઇતિહાસ રચવાની શરૂઆત કરી રહ્યાં છીએ.

પ્લાન્ટ સંબંધિત મહત્વપૂર્ણ બાબતો નીચે મૂજબ છેઃ

  • સનશાઇન વિટરિયસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડના નામથી એક અલગ કાનૂની એકમનું નિર્માણ કરવામાં આવશે, જે સનહાર્ટ બ્રાન્ડ હેઠળ પોતાની પ્રોડક્ટ્સનું બજારમાં વેચાણ કરશે.
  • આ પ્લાન્ટ ભારતીય સિરામિક ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં વિટ્રિફાઇડ ટાઇલ્સના ઉત્પાદનમાં સૌથી મોટો પ્લાન્ટ બનશે અને આ પ્લાન્ટ કુલ 99 એકર જગ્યામાં ફેલાયેલો રહેશે.
  • આ પ્લાન્ટમાં પ્રતિ દિવસ 51,000 ચોરસ મીટર વિટ્રિફાઇડ ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. તેના માટે પ્લાન્ટમાં અદ્યતન અને ઉચ્ચ શ્રેણીના મશીનનો ઉપયોગ કારાશે
  • સમયબદ્ધ રીતે આ પ્લાન્ટમાં ત્રણ પ્રોડક્શન લાઇન્સની સ્થાપના કરાશે. તેમાં પ્રથમ પ્રોડક્શન લાઇન આજથી આગામી 6 મહિનામાં કાર્યરત થઇ જશે.
  • આ પ્લાન્ટમાં તબક્કાવાર રીતે કુલ રૂ. 270 કરોડનું રોકાણ કરાશે. આ પ્લાન્ટમાંથી વાર્ષિક રૂ. 399 કરોડના ટર્નઓવરનું અનુમાન છે
  • આ પ્લાન્ટને સ્થાપિત કરવાનો મૂળ ઉદ્દેશ્ય વિદેશી નિકાસ સંબંધિત માગને પૂર્ણ કરવાનો રહેશે.
  • આ પ્લાન્ટ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ બંન્ને રીતે લોકો રોજગાર પ્રાપ્ત કરશે. નીચે તેના સંબંધિત આંકડા આપવામાં આવ્યાં છે. આ સ્થિતિમાં રોજગાર પ્રાપ્ત કરનાર લોકોના પરિવારના સદસ્યોને પણ આજીવિકાનું મજબૂત સાધન મળશે.
  • 750થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે. તેમાં 546 શ્રમિકો, 100 અર્ધ-શિક્ષિત કર્મચારીઓ, 50 શિક્ષિત કર્મચારીઓ, 24 ઓફિસ સ્ટાફ અને પ્રોફેશ્નલ સ્ટાફ સામેલ છે.

પરોક્ષ રીતે હાંસલ થનારા લાભોઃ

સામગ્રીઃ આ પ્લાન્ટની ઉત્પાદન સંબંધિત આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે તમામ પ્રકારના કાચા માલ માટે આપૂર્તિકર્તાઓને તૈયાર કરાશે, જેનાથી પરોક્ષ રીતે મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળશે.

સેવાઓઃ આ પ્લાન્ટના ઉત્પાદન સંબંધિત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ એજન્સીઓને તૈયાર કરવામાં આવશે, જેમાં ટ્રાન્સપોર્ટ, બેંકિંગ સેવાઓનો લાભ મળશે. આમ મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળશે.

આ પ્લાન્ટના માધ્યમથી કંપની ભારતની અર્થવ્યવસ્થામાં પોતાનું યોગદાન આપતાં દેશના જીડીપી અને વિદેશી હૂંડિયામણમાં વધારો કરવા માટે સહાયક બનશે.

આ પ્રકારે સૌનો સાથ, સૌનો વિકાસના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને ધ્યાનમાં રાખતાં સનહાર્ટ ગ્રૂપ ભારતના વિકાસના અનોખા સફર ઉપર આગળ વધી રહ્યું છે. અમે એવી રીતે આગળ વધવામાં વિશ્વાસ રાખીએ છીએ કે અમારી સાથે-સાથે હિતધારકોનો પણ વિકાસ થાય.

શ્રી ભુદરભાઇએ ઉમેર્યું હતું કે, સનહાર્ટ ગ્રૂપ તબક્કાવાર રીતે ટાઇલ્સ, સેનેટરીવેર અને બાથવેરમાં રોકાણ કરશે. કંપનીએ યોજનાબદ્ધ રીતે આગામી ત્રણ વર્ષમાં રૂ. 1000 કરોડનું તથા આગામી પાંચ વર્ષમાં રૂ. 1500 કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!