જૂનાગઢ પોલીસ દ્રારા વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ પોલીસ દ્રારા વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો
Spread the love

જૂનાગઢ પોલીસ દ્રારા વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ :  જૂનાગઢ જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવારની અધ્યક્ષતામાં જૂનાગઢ પોલીસ દ્વારા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.

 જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ વન મહોત્સવ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, મ્યુનિ. કમિશ્નર શ્રી આર.એમ. તન્ના, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ ધુલેશિયા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સીસીએફ શ્રી કે.રાજેશ, ડીસીએફ શ્રી ધીરજકુમાર મિત્તલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ તથા પોલીસ સ્ટાફના જવાનો તેમજ મીડિયાકર્મીઓ હાજર રહયા હતા.

આ પ્રસંગે જૂનાગઢ રેંજના ડીઆઇજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વૃક્ષારોપણનું ખાસ મહત્વ સમજાવી, હાલના વિકાસના યુગમાં પ્રદૂષણમાં વધારો થયેલ છે, ત્યારે વૃક્ષ વાવીને જ પ્રદુષણને અટકાવી શકાય છે તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ વૃક્ષની માવજત થાય અને ઉછેર થાય એ પણ જરૂરિયાત હોવાનું જણાવી, હાલના સમયમાં વધુમાં વધુ વૃક્ષ વાવવા હિમાયત કરવામાં આવેલ હતી.

 જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત વન મહોત્સવ  કાર્યક્રમ દરમિયાન પોલીસ હેડ કવાર્ટર ખાતે અધિકારીઓ તથા પદાધિકારીઓ દ્વારા ખાસ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું.કાર્યક્રમનું સંચાલન હારુનભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ તેમજ સમગ્ર વ્યવસ્થા પીઆઇ એક.આઈ.ભાટી, પીએસઆઇ જે.એમ.વાળા, પી.એચ.જોશી, દ્વારા કરવામાં આવેલ હતી.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!