કૉંગ્રેસે જો હિંદુઓનો મોટો પક્ષ નિર્માણ કર્યો હોત, તો વિભાજન ટળ્યું હોત…! : ઉદય માહુરકર

અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના સય્યદ અહમદ વર્ષ 1883 થી ભારતનું વિભાજન અને ભારત પર ઇસ્લામની સત્તા સ્થાપવા વિશે સતત વક્તવ્ય કરતા હતા. મુસ્લીમ લીગે પણ તે માટે સમગ્ર દેશમાં અધિવેશન લઈને સિદ્ધતા ચાલુ કરી હતી. ‘ભારતનું વિભાજન થશે’ આ સ્વા. સાવરકરે 7 વર્ષ પહેલાં જ જાહેરમાં કહ્યું હતું; પરંતુ કૉંગ્રેસ અને કૉંગ્રેસના નેતાઓએ તે અમાન્ય કરીને તે ભણી દુર્લક્ષ કર્યું. મુસ્લીમ લીગે હિંસાચાર ચાલુ કર્યા પછી કૉંગ્રસે તેનો વિરોધ કરવાને બદલે મુસલમાનોની ચાપલુસી ચાલુ જ રાખી. સ્વા. સાવરકરના કહ્યા પ્રમાણે જો કૉંગ્રેસે અને હિંદુઓએ હિંદુઓનો મોટો પક્ષ બનાવ્યો હોત, વિરોધ નોંધાવ્યો હોત, તો ભારતનું વિભાજન નક્કી જ ટાળી શકાયું હોત, એવું પ્રતિપાદન ‘વીર સાવરકર : ધ મેન હુ કુડ હૅવ પ્રિવેન્ટેડ પાર્ટીશન’ આ પુસ્તકના લેખક તથા ભારતના માહિતી આયુક્ત શ્રી ઉદય માહુરકરે કર્યું. હિંદુ જનજાગૃતિ સમિતિ આયોજિત ‘સ્વા. સાવરકરની બદનામી કરવાનું ષડયંત્ર’ આ ઑનલાઇન વિશેષ સંવાદમાં તેઓ બોલી રહ્યા હતા.
શ્રી. માહુરકરે ઉમેર્યું કે, જે લોકોની વિચારસરણી દેશના વિભાજન પર ટકી રહી છે, એવા ડાબેરી અને કૉંગ્રેસવાળાઓ સાવરકરને બદનામ કરવાનું ષડયંત્ર રચતા હોય છે; કારણકે સાવરકરનાં વિચાર કૃતિમાં લાવવાથી આ દેશમાંની હિંદુ શક્તિ સંગઠિત થશે અને આ દેશના ટુકડા કરવાનું શક્ય નહીં થાય. તેથી તેમને સતત વિરોધ કરવામાં આવે છે. આ સમયે ‘સ્વા. વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક’ના અધ્યક્ષ શ્રી. રણજીત સાવરકરે કહ્યું કે, ગાંધીની હત્યા 30 જાન્યુઆરીના દિવસે થઈ ન હોત, તો તે દિવસે કૉંગ્રેસ બરખાસ્ત થવાની હતી. ત્યારે જો કૉંગ્રેસ બરખાસ્ત થઈ હોત, તો નહેરુને સત્તાથી દૂર થવું પડ્યું હોત. ત્યારે હિંદુ મહાસભા આ બીજો મોટો પક્ષ તરીકે આગળ આવ્યો હોત; પરંતુ પુરાવાના અભાવે સાવરકરને ગાંધી હત્યામાં સંડોવીને તેમનું રાજકીય અસ્તિત્વ નષ્ટ કરવામાં આવ્યું. ગાંધી હત્યાનો ખરો લાભ કોને થયો, એનો વિચાર કરવાની આવશ્યકતા છે.
આ સમયે ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી. રમેશ શિંદેએ કહ્યું કે, સાવરકરે માફી માંગી એટલે તેમની બદનામી કરનારા ડાબેરી લોકો ઇતિહાસનો અભ્યાસ નથી કરતા. ભારતમાં કમ્યુનિસ્ટ પક્ષ સ્થાપન કરનારા કૉ. ડાંગેનો કારાગૃહમાંથી છુટકારો થાય, એટલે બ્રિટિશોને લખેલી દયાની યાચિકામાં તેઓ કહે છે, ‘મેં બ્રિટિશો સાથે બેવફાઈ નથી કરી અને ભવિષ્યમાં ક્યારેય પણ બેવફાઈ નહીં કરું. હું તમારો સેવાધારી છું.’ ખરેખર તો સામ્યવાદીઓને શરમ આવવી જોઈએ. સાવરકરે કરેલી યાચિકાને લીધે સેંકડો ભારતીય રાજકેદીઓનો છુટકારો થયો. બૅરિસ્ટરનું શિક્ષણ થઈ ગયા પછી તે પદવી લેવા માટે ‘હું બ્રિટિશ સરકાર સાથે એકનિષ્ઠ રહીશ’ આ પ્રતિજ્ઞાની શરત અમાન્ય કરીને સાવરકરે બૅરિસ્ટરની પદવી નકારી હતી. એમાંજ તેમની દેશ પ્રત્યેની નિષ્ઠા દેખાઈ પડે છે; પરંતુ અનેક કૉંગ્રેસી નેતાઓએ બૅરિસ્ટરની પદવી લીધી. તેમને કૉંગ્રેસીઓ સવાલ કેમ પૂછતા નથી? ક્રાંતીકાર્ય શીખવા માટે કમ્યુનિસ્ટ નેતા લેનિન 3 દિવસ ‘ઇંડિયા હાઉસ’માં સ્વા. સાવરકરના રહેઠાણે હતા. સાવરકરનું દેશકાર્ય જોઈને મુંબઈના કમ્યુનિસ્ટ નેતાઓએ તેઓનું મોટું નાગરી સત્કાર કર્યું હતું, આ આજના વિચારવંતો કેમ બોલતા નથી.
શ્રી રમેશ શિંદે (રાષ્ટ્રીય પ્રવક્તા)
હિંદુ જનજાગૃતિ સમિતિ