પેન્શનરો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૧૦ ડિસેમ્બર સુધીમાં જિલ્લા તિજોરી કચેરીને મોકલવાની રહેશે

પેન્શનરો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૧૦ ડિસેમ્બર સુધીમાં જિલ્લા તિજોરી કચેરીને મોકલવાની રહેશે
રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો પેન્શનમાંથી ટી.ડી.એસ.ની કપાત થશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન મેળવતા પેન્શનરોની વાર્ષિક આવક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં આવકવેરાને પાત્ર હોય તેવા તમામ પેન્શનરો એ તેમની આવકમાંથી મજરે લેવા પાત્ર રકમ અંગેની વિગતો રોકાણ કર્યા અંગેના આધાર પુરાવા તેમજ પાનકાર્ડની ઝેરોક્ષ નકલ તા.૧૦ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં જિલ્લા તિજોરી કચેરી જૂનાગઢને રૂબરૂ, ટપાલ કે ઇ-મેઇલ([email protected]) પર પહોંચતી કરવાની રહેશે. જો રોકાણની વિગતો કે આધાર પુરાવા નિયત સમય મર્યાદામાં રજૂ નહિ કરવામાં આવે તો આવકવેરાના પ્રવર્તમાન નિયમોનુસાર ડિસેમ્બર ૨૦૨૧ પેઇડ ઇન જાન્યુઆરી-૨૦૨૨ના પેન્શનરમાંથી ટી.ડી.એસ.ની કપાત શરૂ કરવામાં આવશે. તેમજ પાનકાર્ડની નકલ રજૂ નહી થવાને લીધે આવકવેરા કપાતની રકમ યોગ્ય સદરે જમા થઇ શકશે નહી જેની સર્વે પેન્શનરોએ ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.