રાજકોટ માં દિનદયાળ ઔષધાલયનો શુભારંભ

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ૭માં તબક્કના સેવા સેતુ, દિનદયાળ ઔષધાલયનો શુભારંભ
રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે આજ તા.૨૫/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૯ કલાકે શ્રી પી.એન્ડ ટી.વી.શેઠ હાઈસ્કુલ ખાતે ૭માં તબક્કાના સેવા સેતુ, દિનદયાળ ઔષધાલયનો શુભારંભ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓમાં યોજાયેલ નિબંધ અને ચિત્રસ્પર્ધાના વિજેતાઓને મોમેન્ટો અર્પણ કાર્યક્રમ યોજાયો જેનું દિપ પ્રાગટ્ય ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડૉ.ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટરશ્રી જયાબેન ડાંગર, અનિતાબેન ગોસ્વામી, રવજીભાઈ મકવાણા, નીતિનભાઈ રામાણી, સોનલબેન સેલારા, કીર્તિબા રાણા, વિગેરે ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ઉદબોધન કરતા પુર્વ મંત્રી અને ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ જણાવેલ કે લોકશાહીમાં દર પ વર્ષે પ્રતિનિધિઓ સરકાર કે શાસકો બદલાય છે. પરંતુ અટલ બિહારી વાજપેયી ના સમયથી સુશાસનની શરૂઆત થઈ છે. શાસકો છેવાડા ના માનવીની ચિંતા કરતા થયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં આટલા વર્ષોમાં અનેક મેયર આવ્યા તે બધા લોકોના પ્રશ્નોને વાચા આપતા થયા છે, નાગરિક ને કાંટો વાગે અને શાસન કર્તાને દુખાવો થાય તેને સાચું સુશાસન કહેવાય. ભૂતકાળની સરકારો વખતે નાગરિકોને તેના પ્રશ્નો કે સરકારની યોજના માટે જુદી જુદી કચેરીઓ એ ધક્કા ખાવા પડતા. જયારે ભાજપની સરકાર આવી છે. ત્યારથી સેવાસેતુના માધ્યમ થી નાગરિકોને રાજ્ય સરકારશ્રીની જુદી જુદી યોજનાઓનો લાભ પોતાના વિસ્તારમાં જ મળતો થયો છે. આજ તા.૨૫/૧૨/૨૦૨૧ના પુર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયી ના જન્મદિવસે રાજકોટ વિધાનસભા ૭૦ અને સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડનં.૩,૭,૧૩,૧૪ અને ૧૭ માં રહેતા શહેરીજનોના લાભાર્થે સેવા સેતુ યોજાયો છે. આ સેવાસેતુમાં આધારકાર્ડ, રાશનકાર્ડ, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, શ્રમિક કાર્ડ, જાતી પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, સુકન્યા સમૃદ્ધિ યોજના, વૃદ્ધ નિરાધાર સહાય વિગેરે જેવી જુદી જુદી ૩૫ જેટલી સેવાઓ આવરી લેવામાં આવેલ. વિશેષમાં તેઓએ જણાવેલ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સામાન્ય માણસના આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ રૂ.૫ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ આ માટે ચિંતિત છે. લોકોને નજીવાદરે દવા મળી રહે તે માટે સરકાર દ્વારા દિનદયાળ ઔષધી કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાય, પૂજ્ય મહાત્મા ગાંધી અને રામમનોહર લોહિયાની વિચાર ધારા ને કેન્દ્ર માં રાખીને ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને આરોગ્ય લક્ષી સેવા સેવા આપવામાં આવે છે. કાર્યક્રમના અધ્યક્ષના સ્થાનેથી ઉદબોધન કરતા મેયર ડૉ.પ્રદિપભાઈ ડવ એ જણાવેલ કે, છેવાડાના માનવીની ચિંતા કરનાર અને રાજનીતિમાં ઉતમ વ્યક્તિત્વ એટલે ભારતના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. લોકોની વાસ્તવિક રીતે સેવા કરવાના હેતુસર આજરોજ સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગુજરાત સરકારશ્રી દ્વારા ગુડ ગવર્નસ દિવસની ઉજવણી થઈ રહી છે, રાજ્યના નાના માં નાના નાગરિકોની સેવા કરવામાં આવે ત્યારે સુશાસન જોવા મળે છે. સરકારશ્રીની યોજનાઓનો નાગરિકોને એક સ્થળે થી લાભ મળી રહે તમામ કચેરીના અધિકારીઓને બોલાવી કામગીરી કરાવવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો ને પ્રાથમિક આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તે માટે જુદા જુદા સ્લમ વિસ્તારોમાં રાજ્ય સરકારના સહયોગથી અગાઉ ૪૫ દિનદયાળ ઔષધાલય શરૂ કરવામાં આવેલ આજરોજ ના જુદા જુદા સ્લમ વિસ્તારમાં વધુ ૧૨ દિનદયાળ ઔષધાલયનો શુભારંભ શરૂ કરવામાં આવનાર છે. સ્લમ વિસ્તારમાં રહેતા નાગરિકો આખો દિવસ કામ પર જતા હોય છે. જેથી સાંજ ના ૫ થી રાત્રિના ૯ સુધી ડોક્ટરો દ્વારા પ્રાથમિક સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાયેલ છે. દિનદયાળ ઔષધાલય માં અત્યાર સુધીમાં ૨૦૧૧૫ દર્દીઓને સારવાર આપવામાં આવેલ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના જુદા વિસ્તારોમાં ૨૧ આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક નિદાન દવા અને લેબોરેટરીના જુદા જુદા ટેસ્ટ કરી આપવામાં આવે છે. વિશેષ માં મેયર જણાવેલ કે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં અટલ બિહારી વાજપેયી ના જીવન અને કવન વિશે યોજાયેલ નિબંધ સ્પર્ધા ૮૪૩ અને ચિત્ર સ્પર્ધાના ૧૪૫૨ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ. આ પ્રસંગે નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને વિધાર્થી મહાનુંભાવોના હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ છે. તેમજ સિટી બસ કન્સેસન પાસ, શહેરી ફેરિયા પ્રમાણપત્ર, એસીપી લોન, આયુષ્માન કાર્ડ તથા જન્મ પ્રમાણપત્ર મહાનુભાવો ના હસ્તે અર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. જયારે શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમની રૂપરેખા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા એ આપેલ. કાર્યક્રમના ઉદધાટક ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ નું મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા પુષ્પ્ગુછ આપી સ્વાગત કરવામાં આવેલ. તેમજ શહેર ભારતીય જનતા પક્ષના હોદેદારો તથા મ્યુનિસપિલ કમિશનર દ્વારા પુષ્પ્ગુછ ગોવિંદભાઈ પટેલનું આપી સ્વાગત કરવામાં આવેલ. જયારે આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા કોર્પોરેટર જયાબેન ડાંગર, સોનલબેન સેલારા દ્વારા બુકે આપી મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભાર વિધિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.