જૂનાગઢ આઇટીઆઈ ખાતે તારીખ ૭ જાન્યુઆરીના રોજ ભરતી મેળો યોજાશે

જૂનાગઢ આઇટીઆઈ ખાતે તારીખ ૭ જાન્યુઆરીના રોજ ભરતી મેળો યોજાશે
ધો.૧૦ અને ૧૨ લાયકાત ધરાવતા યુવકો ભાગ લઈ શકશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તારીખ ૭ જાન્યુઆરીના રોજ જૂનાગઢ આઈટીઆઈ ખાતે ફક્ત પુરુષો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખાનગી નોકરી દાતાઓ પાસેથી જુદી જુદી ખાલી જગ્યાઓ માટે તારીખ ૭ જાન્યુઆરીના રોજ સવારે ૧૦-૩૦ કલાકે જૂનાગઢ આઇટીઆઇ,પંચેશ્વર રોડ ખાતે ફક્ત પુરુષો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો પોતાના તમામ અસલ સર્ટિફિકેટ, માર્કશીટ તથા પ્રમાણિત નકલો અને ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો તથા બાયોડેટા (આધાર કાર્ડ પાન કાર્ડ) જો હોય તો ઉપર જણાવેલ સ્થળે અને સમય સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવેલ છે.
આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી લાયકાત ધરાવતા તેમજ વય ૧૮ થી ૨૪ વર્ષ સુધીના ઉમેદવારો ભાગ લઇ શકશે. નોકરીદાતા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર ન રહેવા જૂનાગઢ રોજગાર અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.