ઝઘડીયાની સેવારૂરલ સંસ્થાને કેએલજે કંપની દ્વારા રૂ.૭૫ લાખનુ દાન કરવામાં આવ્યુ

ઝઘડીયાની સેવારૂરલ સંસ્થાને કેએલજે કંપની દ્વારા રૂ.૭૫ લાખનુ દાન કરવામાં આવ્યુ
Spread the love

ઝઘડીયાની સેવારૂરલ સંસ્થાને કેએલજે કંપની દ્વારા રૂ.૭૫ લાખનુ દાન કરવામાં આવ્યુ

કંપનીના સ્થાપકના ૭૫ માં જન્મ દિવસ નિમિત્તે રૂ.૭૫ લાખનુ દાન કરવામાં આવ્યુ

ઝઘડિયાની સેવારૂરલ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલને કેએલજે ગ્રુપ ઓફ કંપની દ્વારા ૭૫ રૂ.નું માતબર દાન કરવામાં આવ્યુ હતું. ગતરોજ સેવારૂરલ સંસ્થા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં કંપની દ્વારા રૂ.૭૫ લાખનો ચેક સેવારૂરલ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યો હતો. કેએલજે કંપનીના સ્થાપક કનૈયાલાલ જૈનના ૭૫ માં જન્મ દિવસ નિમિત્તે હોસ્પિટલને રૂ.૭૫ લાખની રકમનો ચેક એનાયત કરાયો હતો. આ પ્રસંગે કંપનીના સ્થાપક કનૈયાલાલ જૈન, આઇએએસ અરવિંદભાઇ અગ્રવાલ, ભરૂચ કલેક્ટર તુષારભાઇ સુમેરા, ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અશોકભાઇ પંજવાણી તેમજ સેવારૂરલ સંસ્થા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા સ્થિત ૨૫૦ પથારીની સગવડ ધરાવતી સેવારૂરલ કસ્તુરબા હોસ્પિટલનું રૂ.૨૫ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કરવામાં આવનાર છે, જે અંતર્ગત વધુ ૧૦૦ જેટલી પથારીની સગવડ વધારીને ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સંભાળ વિભાગ વિગેરે વિભાગોની સુવિધાઓ અધ્યતન કરવા લગભગ રૂ.૨૫ કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યુ છે. સેવારૂરલ હોસ્પિટલ ખાતે રોજ ખુબ મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓ સારવાર માટે આવે છે.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!