મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે કોરોનાના નવા 265 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે કોરોનાના નવા 265 કેસ નોંધાયા
Spread the love

જીલ્લામાં એકટીવ કેસની સંખ્યા પહોંચી 1047 : જિલ્લામાં 102 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહો છે. આજે નવા 265 કેસ આવ્યા છે. જેમાં સૌથી વધુ મોરબી પંથકમાં 210 કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં આજે 102 દર્દીઓ સાજા પણ થયા છે.

મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 1758 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 265 દર્દી ઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં મોરબી શહેરમાં 122 કેસ, મોરબી ગ્રામ્યમાં 88,વાંકાનેર શહેરમાં 9,વાંકાનેર ગ્રામ્યમાં 9 કેસ,હળવદ ગ્રામ્યમાં 14, ટંકારા ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે.જ્યારે માળિયા તાલુકા માં 08 કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઈ છે. તો આજે મોરબી જિલ્લામાં કુલ 102 દર્દીઓ સાજા થયા છે. જેમાં મોરબી તાલુકામાંથી 85 , વાંકાનેર તાલુકા માંથી, 12 ,હળવદ તાલુકામાંથી 2 , ટંકારા તાલુકામાંથી 2, માળીયા તાલુકામાંથી 1 દર્દી સાજા થયા છે. હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1047એ પહોંચી છે.

રીપોર્ટ: – જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

18-27-20-MORBI-JILLA-PANCHAYAT-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!