નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

થરાદ પોલીસ સ્ટેશન ના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી (લાલશાહી)નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા
IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ
શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી, તથા અ.પો.કો.અમરસિંહ, તથા દશરથભાઈ ની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે *થરાદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં- 413/2019 પ્રોહી કલમ 65એઈ,116(બી),98(2),99,81) મુજબ ના ગુના મા નાસતા ફરતા આરોપી (૧) માધુસિંહ વિરજી દેવડા રહે.બેવટા તા.થરાદ વાળાને બેવટા ગામે થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન સોપેલ છે.
રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756