ઝઘડિયાના જુના ટોઠીદરાના સરપંચને ધમકી આપી જાતિ વિષયક અપશબ્દો કહ્યા બાબતે ફરિયાદ

ઝઘડિયાના જુના ટોઠીદરાના સરપંચને ધમકી આપી જાતિ વિષયક અપશબ્દો કહ્યા બાબતે ફરિયાદ
Spread the love

ઝઘડિયાના જુના ટોઠીદરાના સરપંચને ધમકી આપી જાતિ વિષયક અપશબ્દો કહ્યા બાબતે ફરિયાદ

ઝઘડિયા તાલુકા આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને તપાસની માંગ કરવામાં આવી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરાના આદિવાસી સરપંચને જાતિ વિષયક અપશબ્દો બોલીને મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતુ. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકા આદિવાસી સમાજના અગ્રણી સંદિપ વસાવાની આગેવાની હેઠળ અપાયેલ આવેદનમાં જણાવાયુ હતુ કે જુના ટોઠીદરાના સરપંચ તરીકે કાંતિભાઇ મંગાભાઇ વસાવા ચુંટણીમાં વિજેતા થયા હતા. સરપંચ પદ માટે આદિવાસી અનામત બેઠક આવવાના કારણે આદિવાસી સરપંચ બનેલ હોવાથી જુના ટોઠીદરાના કેટલાક બિનઆદિવાસીઓને આ વાત પસંદ ન હોવાથી તેઓ આદિવાસી સરપંચ કાંતિભાઇ વસાવાને મારી નાંખવાની ધમકી આપે છે. અને જાતિ વિષયક અપશબ્દો બોલીને તમે કેવી રીતે રાજ કરો છો? તેમ કહીને સરપંચ પદેથી રાજીનામું આપવા માટે દબાણ લાવે છે. પરંતુ આદિવાસી સરપંચ તેમની વાતમાં ન આવતા ગામની ત્રણ વ્યક્તિઓ ચુંટણીની અદાવત રાખીને આદિવાસી સરપંચના માન સન્માનને ઠેસ પહોંચે એ રીતે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. તેઓના કથિત ત્રાસને લઇને સરપંચને કંઇપણ થશે તેની જવાબદારી આ વ્યક્તિઓની રહેશે તેવી તે વ્યક્તિ ઓનાં નામજોગ લેખિતમાં રજૂઆત કરી છે, આ લોકો પર તાત્કાલિક પગલા ભરવા માંગ કરી હતી. આ બાબતે આદિવાસી સરપંચને જલ્દીથી ન્યાય મળે એવી પણ આવેદનમાં રજુઆત કરવામાં આવી હતી.

રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!