રાજકોટ : “ફાયર સર્વિસ ડે” શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ.

રાજકોટ : “ફાયર સર્વિસ ડે” શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ.
Spread the love

રાજકોટ માં મહાનગરપાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા “ફાયર સર્વિસ ડે” શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ.

રાજકોટ માં મહાનગરપાલિકા સને ૧૪ એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઇ વિકટૉરીયા ડૉક યાર્ડ ખાતે એસ.એસ.ફોર્ટ સ્ટાઇકીન નામનું બ્રીટીશ માલવાહક જહાજ લાંગરેલ હતું. જેમાં કપાસની ગાંસડીઓ, જવલનશીલ દારૂગોળો, સોનાની પાટો ભરેલ હતી. જેમા આકસ્મિક બોમ્બ વિસ્ફોટ થતા ભયંકર આગ લાગેલ હતી. જે આગ બુજાવવાની કામગીરીમાં મુંબઇ ફાયર બ્રિગેડના ૬૬ જવાનો શહીદ થયેલ હતા. જેની સાથે-સાથે આસપાસના ૩૦૦ થી વધારે લોકો ભયંકર આગમાં મૃત્યુ પામેલ જેની યાદમા રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા ૧૪ મી એપ્રિલ ૨૦૨૨ ના રોજ “ફાયર સર્વિસ ડે” શહીદ દિન તરીકે શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવેલ. ઉપરોક્ત શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં ફાયર બ્રિગેડ શાખાના ચેરમેનશ્રી જયોત્સનાબેન ટીલાળા, ડે.કમિશનરશ્રી આશિષકુમાર, ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ.વી.ખેર, ડે.ચીફ ફાયર ઓફીસરશ્રી બી.જે.ઠેબા, તમામ સ્ટેશન ઓફીસરશ્રીઓ તથા તમામ ફાયરના જવાનો હાજર રહેલ હતા. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં ઉપરોકત હાજર રહેલ મહાનુભાવો દ્વારા બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામા આવેલ હતી.

 

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!