દાંતા તાલુકા સરપંચ એશોસિયેશન ના પ્રમુખ હરપાલ સિંહ રાણા બન્યા

દાંતા તાલુકા સરપંચ એશોસિયેશન ના પ્રમુખ હરપાલ સિંહ રાણા બન્યા
અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. જયારે દાંતા શહેર દરબારી નગરી તરીકે ઓળખાય છે. દાંતા તાલુકામાં 212 જેટલા નાનામોટા ગામો આવેલા છે. આ તમામ ગામો મા હરપાલસિંહ રાણાનુ વર્ચસ્વ ઘણું છે.હરપાલસિંહ રાણા થોડા મહીના અગાઉજ દાંતા સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા છે. સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા બાદ હરપાલ સિંહ રાણા લોકોની વચ્ચે જઇને લોક ઉપયોગી કાર્યો કરી રહ્યા છે. આજે દાંતા તાલુકા સરપંચ એશોસિયેશન પ્રમુખ તરીકે તેમની વરણી થતા તેમના શુભેચ્છકો મા અને પરીવાર, મીત્રો મા ખુશી વ્યાપી ગઈ હતી.
હરપાલ સિંહ રાણા શરૂઆતના સમયમાં ખુબજ મહેનત કરીને દાંતા સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા છે આ અગાઉ તેઓ દાંતા ડેપ્યુટી સરપંચ તરીકે પણ સુંદર કામગીરી કરી હતી. હરપાલ સિંહ રાણા દ્વારા કરણી સેના એકતા યાત્રા દાંતા પહોંચી ત્યારે તેમનાં દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હરપાલ સિંહ રાણા પ્રમુખ બનતા આખા દાંતા વાસીઓમા ભારે ખુશી વ્યાપી ગઇ હતી.
રિપોર્ટ : અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756