મેંદરડા આઇટીઆઈ  ખાતે તા.૧૪મી જૂને ભરતી મેળો યોજાશે

મેંદરડા આઇટીઆઈ  ખાતે તા.૧૪મી જૂને ભરતી મેળો યોજાશે
Spread the love

મેંદરડા આઇટીઆઈ  ખાતે તા.૧૪મી જૂને ભરતી મેળો યોજાશે

ધો.૧૦, ૧૨ અને સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા  યુવાઓ ભાગ લઈ શકશે

                જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૪-૦૬-૨૦૨૨ના રોજ મેદરડા આઈટીઆઈ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

       જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ખાનગી નોકરી દાતાઓ પાસેથી જુદી જુદી ખાલી જગ્યાઓ માટે  તા.૧૪-૦૬-૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦  કલાકે મેંદરડા મામલતદાર કચેરીની પાછળ, આલીધ્રા રોડ, ઔદ્યોગિગ તાલીમ સંસ્થા  મેંદરડા ખાતે  ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો પોતાના તમામ અસલ સર્ટિફિકેટ, માર્કશીટ તથા પ્રમાણિત નકલો અને ચાર પાસપોર્ટ સાઇઝના ફોટો તથા બાયોડેટા (આધાર કાર્ડ પાન કાર્ડ) જો હોય તો ઉપર જણાવેલ સ્થળે અને સમય સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવેલ છે.

વધુમાં જો ઉમેદવારોએ અનુબંધમ વેબસાઈટમાં રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય તો WWW.anubandham.gujarat.gov.in પર જોબ સીકર તરીકે નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવે છે.

                આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી લાયકાત ધરાવતા તેમજ વય ૧૮ થી ૩૫ વર્ષ સુધીના ઉમેદવારો ભાગ લઇ શકશે.  નોકરીદાતા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ન હોવાથી દિવ્યાંગ ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર ન રહેવા જૂનાગઢ રોજગાર અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!