રાજકોટ માં “હર ઘર તિરંગા” તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ઘેર ઘેર લહેરાશે રાષ્ટ્રધ્વજ

રાજકોટ માં “હર ઘર તિરંગા” તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન ઘેર ઘેર લહેરાશે રાષ્ટ્રધ્વજ.
રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન વિશે માહિતી આપવા માનનીય મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવનાં અધ્યક્ષસ્થાને આજે તા.૧/૮/૨૦૨૨ નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષનાં નેતાશ્રી વિનુભાઈ ઘવા, દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા, નાયબ કમિશનરશ્રીઓ શ્રી આશિષ કુમાર, શ્રી એ.આર.સિંહ અને શ્રી ચેતન નંદાણી, સહાયક કમિશનરશ્રીઓ શ્રી એચ.કે.કગથરા અને શ્રી એચ.આર.પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. માનનીય મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવે પત્રકાર પરિષદને સંબોધન કરતા એમ જણાવ્યું હતું કે શહેરમાં રહેણાંક મકાનો, વ્યાપારી સંકુલો, ઔદ્યોગિક કચેરીઓ, જુદી-જુદી સામાજીક સંસ્થાઓ, શાળા-કોલેજો, સરકારી અને ખાનગી કચેરીઓ વગેરે સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા વિવિધ ક્ષેત્રોનો સહયોગ મેળવવામાં આવશે. મેયરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર તિરંગાનું મહત્વ કેટલું બધું વધારે છે તેનું ઉદાહરણ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધ દરમ્યાન જોવા મળ્યું હતું. ભારત સરકારશ્રી દ્વારા યુક્રેનની ભૂમિ પરથી ભારતીય નાગરિકો અને છાત્રોનાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ભારતીયો અને પડોશી દેશના નાગરિકો પણ ભારતના ત્રિરંગા સાથે યુક્રેનમાંથી સહીસલામત બહાર નીકળી શક્યા હતાં. ભારત સરકારશ્રીની વિનંતીને પગલે થોડા ક્લાકો માટે યુધ્ધ વિરામ ઘોષિત કરાયેલ અને ભારતીયો અને અન્ય દેશના નાગરિકો પણ ત્રિરંગો હાથમાં રાખી સલામત રીતે ત્યાંથી નીકળી શક્યા હતા. મેયરશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીનાં માધ્યમથી દેશનો દરેક નાગરિક રાષ્ટ્ર ગૌરવની અનુભૂતિ કરે તેવા આશય સાથે યોજાયેલ “હર ઘર તિરંગા” કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિવિધ ક્ષેત્રોને તેમાં સામેલ કરશે. સરકારશ્રી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને ૨ લાખ રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે ઉપરાંત વધુ જરૂર જણાયે સ્થાનિક કક્ષાએથી રાષ્ટ્રધ્વજ મેળવવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ દરમ્યાન શહેરના વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્યાપારિક, ઔદ્યોગિક, સ્કુલ-કોલેજો વગેરે સંસ્થાઓ અને અલગ અલગ એસોસીએશનનાં સહયોગથી હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે. વધુમાં રાજકોટ મહાનગરપાલિકાની ૬૯૫ મિલકતો ઉપર તિરંગા લહેરાવવામાં આવશે તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાં કર્મચારીઓની ટીમો બનાવી શેરીઓ અને સોસાયટીઓમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તમામ ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસેથી સામાન્ય દરથી નાગરિકો માટે રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ કરવામાં આવશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં શહેરીજનો પણ સ્વયંભૂ જ સામેલ થઈ પોતાના ઘર કે સંસ્થા કે વ્યવસાયિક સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરશે, તેવી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓએ આશા વ્યક્ત કરી હતી. પત્રકાર પરિષદની શરૂઆતમાં નાયબ કમિશનરશ્રી આશિષ કુમારે માનનીય મેયરશ્રી સહિતના પદાધિકારીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પ્રચાર પ્રસાર માધ્યમોના પ્રતિનિધિશ્રીઓ, કેમેરામેનશ્રીઓ, ફોટોગ્રાફરશ્રીઓ સહિતના સૌને આવકાર્યા કતા. “ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા”માં થયેલા સુધારા મુજબ હવે રાષ્ટ્રીય ધ્વજ સૂર્યોદય અને સૂર્યાસ્ત પછી પણ ફરકાવી શકાય છે. ભારતીય રાષ્ટ્રિય ધ્વજ-તિરંગા, આપણી બંધારણીય એસેમ્બલી દ્વારા ૨૨ જુલાઈ,૧૯૪૭ માં અપનાવવામાં આવેલ અને ત્યારથી જ આ આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. ધ્વજની ડીઝાઈન શ્રી પેન્ગલી વેંકૈયા દ્વારા સૂચવવામાં આવેલ. જે મુજબ તિરંગામાં સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો કલર હોય છે. મધ્યમાં અશોક ચક્ર હોય છે અને ધ્વજની સાઇઝ ૩:૨ ની માત્રામાં હોય છે. રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગને લગત Emblem and Names (Prevention of Improper Use) Act, 1950 અને Prevention of Insults to National Honor Act, 1971 અમલી બનેલ. આપનો રાષ્ટ્રીય ધ્વજ Bureau of Indian Standards મુજબ ખાદીની હાથ બનાવટના ધ્વજનો ઉપયોગ કરવાનો હોય છે. જે મુજબ આ ધ્વજ બનાવવાની કામગીરી ખાદી ડેવલોપમેન્ટ એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝને સોપવામાં આવેલ હતી. ૨૦૨૨ માં એક ભારતીય નગરિક નવીન જિન્દાલની અરજી ઉપર નામ. સુપ્રિમ કોર્ટે ૨૦૨૨ ના ચુકાદાથી રાષ્ટ્રીય ધ્વજને લગત ઉપરોક્ત કાયદાઓમાં સુધારો કરવા ભારત સરકારને સૂચન કરતાં ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા, ૨૦૦૨ અમલમાં આવેલ અને હવે સામાન્ય નાગરિકોને પણ રાષ્ટ્રીય ઝંડો ફરકાવવાનો હક્ક મળેલ. Flag Code of India Amendment, 2021 માં સુધારો થતાં હવે પોલી એસ્ટર ફ્લેગનો ઉપયોગ પણ કાયદેસર બનેલ છે. July 20, 2022 માં Flag Code of India માં Amendment થતાં હવે રાષ્ટ્રીય ધ્વજ સૂર્યોદય અને સૂર્યાસ્ત પછી પણ ફરકાવી શકાય છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756