મથુરાના ટુન ટુન બાબા સોમનાથ મંદિરે પોતાના મનમોહક નૃત્યથી આકર્ષણનું કેન્દ્ર બન્યા

મથુરાના ટુન ટુન બાબા સોમનાથ મંદિરે પોતાના મનમોહક નૃત્યથી આકર્ષણનું કેન્દ્ર બન્યા
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.ત્યારે શિવભક્તો દેશ વિદેશથી મહાદેવના દર્શને આવી પહોંચે છે.તેવી જ રીતે શ્રાવણ માસના પ્રથમ દિવસે મથુરાના ટુન ટુન બાબાએ પોતાના નૃત્યથી લોકોને મનમોહીત કર્યા હતા. ઉપરાંત તે પોતે મથુરા નગરીના હોવાથી ભગવાન રામના સાળા તરીકે પોતાને વર્ણવી રહ્યા હતા.તેઓ પક્તિમાં પોતાનો પરિચય આપતાં કહેતા હતા કે રહીને વાલે મથુરા કે હે, રામ જી કે સાલે હે, ઇસ લીયે થોડા નીરાલે હે.તેઓ જગન્નાથપુરી, તિરુપતિ બાલાજી, દ્વારકા સહિતના સ્થળોએ ફરી પ્રથમ સોમવારે મહાદેવના આશીર્વાદ લેવા આવ્યા હતા.પાલખીયાત્રા ના સમયે પણ તેઓ જાણે શિવમગ્ન થઈને નૃત્ય કરી રહ્યા હતા અને અન્ય શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.પોતાના શરીર પર ગોપીચંદન લગાવીને આવેલા ટુન ટુન બાબાએ જણાવ્યું હતું કે ભગવાન સોમનાથને રીઝવવા પોતાના શરીર પર ગોપીચંદન લગાવ્યું હતું અને હવે તેઓ આવતા સોમવારે હરિદ્વાર યાત્રા કરવા જશે.
રિપોર્ટ : પરાગ સંગતાણી, વેરાવળ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756