કોમર્સ કોલેજ – અમરેલીમાં સાયબર ક્રાઈમ અંગે સેમિનારનું આયોજન થયું

અમરેલી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તેવા હેતુથી એક સેમિનારનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમના પી.આઈ. એચ.કે.મકવાણા, પોલીસ કોન્સ્ટેલબ અમિત ઘેવરિયા અને રાજેશ પનોત વગેરેએ ઉપસ્થિત રહી સાયબર ક્રાઈમ અને તેનાથી બચવાના ઉપાયો બતાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.જિલ્લા કોઓરડીનેટર અને પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તલાવીયાએ કર્યું હતું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.પી.કે.ત્રિવેદીએ સૌને આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમના અંતે પ્રા.ડો.જે.ડી.સાવલિયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમ ફેકલ્ટી મેમ્બર નિકિતાબેન પંડ્યાએ જણાવ્યું હતું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756