રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી

રાજકોટ માં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી.
રાજકોટ માં મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ અઠવાડીયે મેલેરીયા-૧, ડેંગ્યુના-૮ કેસ નોંધાયેલ છે. આ ઉપરાંત શરદી ઉધરસના કેસ ૧૭૬, સામાન્ય તાવના કેસ ૫૧, ઝાડા ઉલટીના કેસ ૪૮ કેસ નોંધાયા છે. આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૫/૮/૨૦૨૨ થી તા.૨૧/૮/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૩૩,૨૪૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૧૦૫ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
રિપોર્ટ :દિલીપ પરમાર રાજકોટ.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756