થરાદ સાંચોર હાઈવે અકસ્માત બાઈક ચાલક નું મોત

સરહદી પંથકમાં અકસ્માતના બનાવમાં દિવસે દિવસે વધારો થાય છે જ્યારે અકસ્માત માં નાની ઉંમર ના લોકો મોટાપાયે મોત ને ભેટી રહ્યાં છે થરાદ સાંચોર હાઈવે ઉપર અકસ્માત ની ઘટના સામે આવી છે થરાદ-સાંચોર હાઈવે ઉપર બે બાઇક ચાલક વચ્ચે અકસ્માત થયો હતો.ભાપડી ગામ નાં રાવણા પરખાભાઈ ભુરાભાઈ તેમજ દશરથભાઈ ભટોર વાતડાઉ નાં મજુરી અથૅ ઘરેથી નિકળ્યા હતા જેમને માંગરોળ પાસે આવેલા રામેશ્વર પંપ પાસે અકસ્માત થયો હતો જેમાં સામે થી આવતું બાઈક નંબર જીજે ૨૩ ડીએ ૯૭૧૮ નાં ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતાં પરખાભાઈ અને દશરથભાઈ ને ઈજાઓ થતાં રેફરલ હોસ્પિટલમાં થરાદ દાખલ કરવામાં આવ્યા હતા તબીબ દ્વારા પરખાભાઈ રાવણા ને મૃત જાહેર કર્યો હતાં તેમજ અજાણ્યા બાઇક ચાલક વિરૂધ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756