જામનગર : પાકિસ્તાન વિદેશ મંત્રીના પૂતળાનું ભાજપ દ્વારા દહન કરાયું

જામનગર : પાકિસ્તાન વિદેશ મંત્રીના પૂતળાનું ભાજપ દ્વારા દહન કરાયું
જામનગર શહેર ભાજપ દ્વારા આજે પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નગરના મેયર સહિતના ભાજપ અગ્રણીઓએ ભુટ્ટોના પૂતળાને ચપ્પલના મારો ચલાવી પૂતળા દહન કર્યા પછી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો કે જેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાથી તેનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેર ભાજપ દ્વારા પાક વિદેશ મંત્રીનો વિરોધ કરવાના ભાગરૂપે બીલાવલ ભુટ્ટોના પૂતળાનું જાહેરમાં દહન કરવામાં આવ્યું હતું.
નગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપના અન્ય અગ્રણીઓએ એકત્ર થઈને પૂતળાને ચપ્પલનો મારો ચલાવ્યા પછી તેનું દહન કર્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે
રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756