જામનગર : લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત : માસૂમ સહિત 3નાં મોત

જામનગર : લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત : માસૂમ સહિત 3નાં મોત
Spread the love

જામનગર : લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત : માસૂમ સહિત 3નાં મોત

જામનગર: જામનગર રાજકોટ હાઇવે પર તારીખ ૨૬ જાન્યુઆરી ની મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.બનાવ ને પગલે અકસ્માત માં એક બાળકી સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો.

આ ઘટનામાં 1 બાળકી સહિત 3ના મોત નિપજ્યાં છે. રાજકોટમાં લગ્નપ્રસંગથી પરત ફરતા જામનગરમાં પરિવારને અકસ્માત નડ્યો હતો. જામનગરમાં રહેતા પરિવારની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. કારમાં સવાર મહિલા, પુરુષનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે બે વર્ષની બાળકીને વધુ સારવાર અર્થે જામનગર લવાઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!