કોમર્સ કોલેજ – અમરેલીમાં. “અલવિદા તણાવ” સેમિનાર યોજાયો

કોમર્સ કોલેજ – અમરેલીમાં. “અલવિદા તણાવ” સેમિનાર યોજાયો
Spread the love

પ્રજાપિતા બ્રામ્હાકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય – અમરેલી દ્વારા કોમર્સ કોલેજ – અમરેલીમાં. “અલવિદા તણાવ” સેમિનાર યોજાયો

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં પ્રજાપિતા બ્રામ્હાકુમારી ઈશ્વરીય વિષવિદ્યાલય – અમરેલી દ્વારા “અલવિદા તણાવ” કાર્યક્રમનું આયોજન થયું હતું. આ અંગે અમરેલી શહેરમાં એક દસ દિવસીય શિબિરનું આયોજન થઈ રહ્યું છે, તે અંગે માહિતી આપવામાં આવી હતી.
આ અંગે વાર્તાલાપ કરવા બ્રામ્હાકુમારી મિતલબેન, બ્રામ્હાકુમાર ભાવેશભાઈ, બ્રામ્હાકુમાર દામજીભાઈ અને નિમેશભાઈ બાભરોળિયા વગેરે ઉપસ્થિત રહયા હતા. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. એમ.એમ.પટેલે વિદ્યાર્થીઓને શિબિરમાં જોડાવા આહવાન કર્યું હતું. સૌનું શબ્દોથી સ્વાગત એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તલાવીયાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ફેકલ્ટી મેમ્બર કુ. કલ્યાનીબેન રાવલે કર્યું હતું અને કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રા.વાય.એચ.ઠાકરે કરી હતી તેમ આઈ.ક્યુ.એ.સી. કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફિનવીયાએ જણાવ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230227-WA0056.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!