શાસ્ત્રી રાહુલ રાજ્યગુરૂ ના વ્યાસાસને શ્રીમદભાગવત કથા યોજાશે

દામનગર ના ધ્રુફણીયા રોડ શ્રી વગડીયા ખોડિયાર મંદિર આયોજિત શાસ્ત્રી રાહુલ રાજ્યગુરૂ ના વ્યાસાસને શ્રીમદભાગવત કથા યોજાશે
દામનગર ના ધ્રુફણીયા રોડ શ્રી વગડીયા ખોડિયાર મંદિર આયોજિત શ્રી મદ્રભાગવત કથા યોજાશે મહંત શ્રી પ્રીતમદાસબાપુ ની પાવન નિશ્રા માં વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રીજી રાહુલભાઈ રાજ્યગુરૂ દામનગર વાળા હાલ સુરત ના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા નો પ્રારંભ તા.૨૨/૦૩/૨૩ ને બુધવાર ના સવાર ના ૮-૦૦ કલાક થી પોથી યાત્રા તા.૨૨/૦૩/૨૩ થી પ્રારંભ થઇ કથા સત્ર રોજ સવાર ના ૮-૦૦ કલાક થી બપોર ના ૧૨-૩૦ કલાક સુધી યોજાશે કથા દરમ્યાન કથા મહાત્મ્ય કપિલ જન્મ ભગવાન વરાહ પ્રાગટય ભક્ત ધ્રુવ ચરિત્ર ભગવાન શ્રી નૂરસિંહ પ્રાગટય શ્રી ભગવાન વામન પ્રાગટય ભગવાન શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ શ્રી કૃષ્ણ બાળ લીલા મહોત્સવ ગોવર્ધન લીલા મહા રાસોત્સવ ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પરીક્ષિત મોક્ષ સુદામા ચરિત્ર સહિત ના કથા માં આવતા દેવ ચરિત્રો ની વેશભૂષા સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી સાથે શ્રોતા શ્રધ્ધાળુ ભાવિકો માટે કથા દરમ્યાન દૈનિક ભોજન પ્રસાદ રોજ બપોર ના ૧૨-૩૦ કલાક થી પ્રારંભ થશે કથા પૂર્ણાંહુતી તા.૨૮/૦૩/૨૩ ના રોજ થશે સાત દિવસીય ભવ્ય ધર્મોત્સવ ને લઈ વગડીયા ખોડિયાર મંદિર સેવક સમુદાય દ્વારા તડામાર તૈયારીઓ કરાય રહી છે કથા દરમ્યાન અનેકો નામી અનામી સંતો મહંતો ઉપસ્થિત રહી દિવ્ય સતસંગ નો લાભ આપશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300