અમરેલી રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે
- ધો.૧૦ અને ધો.૧૨ પાસ શૈક્ષણિક લાયકાત હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત રીતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરના ખાનગી ક્ષેત્રના એકમ એઇમ લીમીટેડ બેંક માટે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ ધો.૧૦ અને ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનારા ઉમેદવારો અરજી કરી શકે છે. ભરતીમેળાનું આયોજન આગામી તા.૧૧ જુલાઈ, ૨૦૨૩ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, સી-બ્લોક, પ્રથમ માળ, અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું.
આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.