કેશોદ : જોષી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

કેશોદ :  જોષી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
Spread the love

👁 ચક્ષુદાન-મહાદાન👁

જુનાગઢ જિલ્લાના કેશોદમાં શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના માધ્યમથી જોષી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

જુનાગઢ જિલ્લાના કેશોદમાં એરપોર્ટ રોડ,ઓસ્કાર એરલાઈન્સ સામે,રહેતા સ્વ.રતિલાલભાઈ જેઠાલાલભાઈ જોષી ઉ.વર્ષ.88 કે જેઓ પિયુષભાઈ જોષીના પિતાશ્રી થાય છે.તેમનું આજે તા.03.08.2023 ને ગુરુવાર,અધિક માસ વદ બીજના રોજ ઉંમરના કારણે દુઃખદ અવસાન થયેલ છે.
આ સમયે તેમના પરિવાર દ્વારા સદગતના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવતાં, રઘુવંશી હોસ્પિટલના ડૉ.સ્નેહલ તન્ના સાહેબ તથા મુકેશભાઇ સાતાદ્વારા આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્રના સંચાલક શ્રી નાથાભાઇ નંદાણિયાને જાણ કરવામાં આવી હતી.
આથી નેત્ર કલેક્શન માટે શીલ પી.એચ.સી.સેન્ટરના ગોવિંદભાઈ વાળા દ્વારા સદગતના નેત્રનું કલેક્શન કરવામાં આવ્યું હતું.અને આ ચક્ષુનો સ્વિકાર ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાના કારોબારી મિત્રો ડૉ.સ્નેહલ તન્ના સાહેબ,મહાવીરસિંહ જાડેજા,દિનેશભાઈ કાનાબાર,જગમાલભાઈ નંદાણિયા,નિશાંતભાઈ પુરોહિત અને શિવમ્ ચક્ષુદાન આરેણાના સચિનભાઈ જોટવા દ્વારા કરવામાં આવ્યો હતો.આ સમયે તેમના પરિવારજનો,કુટુંબીજનો, સગા સ્નેહીજનો તેમજ સ્વ.રતિલાલભાઈના જમાઈ જયેશભાઈ દવે પ્રેરક ઉપસ્થિત રહી સહકાર આપેલ.

સ્વર્ગસ્થ રતિલાલભાઈના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને કરશનભાઈ વાજા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.

જોશી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.રતિલાલભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

જોશી પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ રતિલાલભાઈના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી….

મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.

ll જય શ્રી કૃષ્ણ ll

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!