શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયનું ખાસ આયોજન

શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયનું ખાસ આયોજન
Spread the love

શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયનું ખાસ આયોજન

 

ભગવાન શ્રી ગણેશની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવા માટે તા.૨૪ સપ્ટેમ્બરે સ્પર્ધા: રજીસ્ટ્રેશનનો પ્રારંભ

 

વૈશ્વિકરણ અને વૈશ્વિક ભગવાન શ્રી ગણેશજી પર તા.૨૨મીએ ટોક

 

જૂનાગઢ : વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીના મહોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ થયો છે, ત્યારે ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખી જૂનાગઢ સંગ્રહાલય દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે.

જૂનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર ડો. સેફાલીકા અવસ્થી આ અંગે વિગતો આપતા કહે છે કે, જૂનાગઢ મ્યુઝિયમના ઓપેરા હાઉસ ખાતે તા.૨૨ સપ્ટેમ્બરના રોજ મીટ એટ ધ મ્યુઝિયમ કાર્યક્રમ અંતર્ગત ‘વૈશ્વિકરણ અને વૈશ્વિક ભગવાન શ્રી ગણેશજી’ પર બપોરે ૪ કલાકે એક ટોક એટલે કે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. સેફાલીકા અવસ્થી વ્યક્તવ્ય આપશે.

ઉપરાંત તા.૨૪મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ થી બપોરના ૨ વાગ્યા દરમિયાન ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનારે પર્યાવરણ અનુકૂળ એવી માટી, લેન્ટીલ્સ, જૂટ, ન્યુઝ પેપર, કાગળ, કાપડ વગેરેમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મો.૮૩૨૦૦૮૨૭૪૨ પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધાના અંતે આકર્ષક ઈનામો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે. તેમ ક્યુરેટર ડો. સેફાલીકા અવસ્થીએ ઉમેર્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!