પાર્થ નવોદય તાલીમ વર્ગ સંન્યુજેલીમાં નવા કેલેન્ડરોનું વિતરણ કરવામાં આવ્યું

પાર્થ નવોદય તાલીમ વર્ગ સંન્યુજેલીમાં નવા કેલેન્ડરોનું વિતરણ કરવામાં આવ્યું
Spread the love

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા અને સુખસર તાલીમ કેન્દ્રો કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓને નવા વર્ષના કેલેન્ડરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજના સમયમાં કેલેન્ડર વિશે માહિતી આપવામાં આવી હતી. ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ મોરા અશ્વિનભાઈ સી સંગાડા અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સુખસર – મકવાણા રાજુભાઈ એસ. દ્વારા ટૂંક સમયમાં જ નવીન કેલેન્ડરો નું વિતરણ કરવામાં આવશે . આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર મકવાણાએ તાલીમ વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિનામૂલ્યે કેલેન્ડરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

IMG-20231102-WA0022.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!