જૂનાગઢનાં વિરપુર ગામનાં હરસુખભાઇ કપુપરાને હ્રદય સંબંધી સારવાર સરકારી સહાયથી બની સુલભ

જૂનાગઢનાં વિરપુર ગામનાં હરસુખભાઇ કપુપરાને હ્રદય સંબંધી સારવાર સરકારી સહાયથી બની સુલભ
જૂનાગઢ : વિરપુર ગામનાં હરસુખભાઇ ભીખાભાઇ કપુપરાએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મારા માટે આશિર્વાદ રૂપ બની છે. મને તબીબી સારવાર દરમ્યાન માલુમ પડ્યુ કે મારા હ્રદયની ત્રણ રક્તવાહીની બ્લોકેજ છે. તો ડોક્ટરોનાં અભિપ્રય મૂજબ મારે તેમાં સ્ટેન્ટ મુકાવી સારવાર કરવી આવશ્યક હતી. મારા ખેતીની આવકમાં હું જો સારવાર કરાવુ તો વર્ષભર કમાયેલ આવક સારવાર અને દવામાં ખર્ચાય જાય તો પછી મારે ખેતી અને ઘર ખર્ચમાં શું કરવુ એ એક જટીલ પ્રશ્ન હતો. પણ ભલુ થાય દેશનાં પ્રધાનમંત્રીશ્રીનું કે અમારા જેવા જરૂતમંદ વ્યક્તિની ખર્ચાળ સારવાર સરકારી ખર્ચે અને સારામાં સારી થવા લાગી છે. મારા સ્વાસ્થમાં આ સારવાર મળતા ખુબ લાભપ્રદ છે. દેશનાં ગરીબ વ્યક્તિઓને કોઇ પણ ભેદભાવ વિના આરોગ્ય કવચ મળ્યુ એ ખરેખર સરકારનું ગરીબો પરત્વેનું આવકાર દાયક કાર્ય છે. હું સરકારનો આભાર પ્રકટ કરૂ છું
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300