ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને પૂજ્ય મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને પૂજ્ય મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
બે દિવસ પહેલા કાશ્મીરમાં સુરનકોટ વિસ્તારમાં ભારતીય સેનાના જવાનો પર ત્રાસવાદી હુમલો થયો હતો જેમાં પાંચ બહાદુર જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાએ પુંચ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમ્યાન ત્રાસવાદીઓ દ્વારા સેનાનાં વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મળતી માહિતી અનુસાર પાંચ બહાદુર જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ શહીદ થયેલા જવાનોને એમની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ શહીદ થયેલા આ જવાનોનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પચ્ચીસ હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૨૫,૦૦૦ ની સહાયતા રાશિ શ્રી ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા અર્પણ કરી છે. પંજાબ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા જવાનોના પરિવારજનોના બેંક એકાઉન્ટમાં આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ શહીદ થયેલા જવાનોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300