આઈએસઆઈની નાપાક ચાલઃ આતંકવાદી જૂથને ગુપ્ત રીતે ફંડ પુરું પાડ્યું

ન્યુ દિલ્હી,
ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ બ્રિટનમાં પોતાનું નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર બીકેઆઈએ બ્રિટનના બ‹મઘમ, ડર્બી અને કોવેન્ટ્રી વિસ્તારોમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કર્યો છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ તેને ફંડ પુરું પાડી રહી છે અને તે બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં ખાલિસ્તાની સમર્થકો તથા તેની સાથે જાડાયેલા આતંકીઓના નેટવર્કને મજબત કરવાના પ્રયાસ કરી રહી છે.
ભારતીય એજન્સીઓને શંકા છે કે, બીકેઆઈએ બ્રિટનના અનેક ધાર્મિક સ્થળોમાં પોતાની હાજરી વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેથી તેઓ પંજાબને ફરી એક વખત નિશાન બનાવી શકે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં પણ પંજાબથી ગયેલા લોકોની સંખ્યા મોટી છે. બબ્બર ખાલસા જૂથ આઈએસઆઈની મદદથી દેશની બહાર રહેતા પંજાબી લોકોમાં પોતાનું નેટવર્ક બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે.
આઈએસઆઈની નજર ભારતના શીખ સમુદાયના નવયુવાનો પર છે. તે અલગતાવાદી સંગઠન ‘શીખ ફોર જÂસ્ટસ’ની મદદથી સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરુદ્ધ ઝેરનો પ્રચાર કરી રહી છે. આ સાથે જ પાકિસ્તાનના કરતારપુર સાહિબમાં દર્શન માટે જતા ભારતીય લોકો પર પણ આઈએસઆઈની નજર છે.
ભારતીય એજન્સીઓને આશંકા છે કે, આઈએસઆઈ આ અલગતાવાદી સંગઠનોની મદદથી પંજાબમાં ફરીથી આતંકી હુમલા કરાવવા માગે છે. પાકિસ્તાનમાં આજે પણ ખાલિસ્તાન સમર્થિત અનેક આતંકવાદી સંગઠન અÂસ્તત્વમાં છે અને તેઓ ગુપ્ત રીતે અલગ ખાલિસ્તાનની ચળવળ ચલાવી રહ્યા છે.