જૂનાગઢ : કેન્દ્ર-રાજ્ય સરકારની આવાસ યોજના હેઠળ લાભાર્થીઓના ઘરના ઘરનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે

જૂનાગઢ : કેન્દ્ર-રાજ્ય સરકારની આવાસ યોજના હેઠળ લાભાર્થીઓના ઘરના ઘરનું  ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
Spread the love

જૂનાગઢ જિલ્લાના પાંચે ય વિધાનસભા બેઠક વાર કેન્દ્ર-રાજ્ય સરકારની આવાસ યોજના હેઠળ લાભાર્થીઓના ઘરના ઘરનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ રહેશે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના પાંચે ય વિધાનસભા બેઠક વાર કેન્દ્ર-રાજ્ય સરકારની આવાસ યોજનાઓ હેઠળ લાભાર્થીઓના ઘરના ઘરનું આવતીકાલ તા.૧૦-૨-૨૦૨૪ના રોજ ૧૧.૩૦ કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહેશે.

જૂનાગઢ જિલ્લામાં પાંચે ય વિધાનસભા બેઠક વાર જુદી જુદી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ મકાનોનું સ્થાનિક ધારાસભ્યશ્રી અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણની સાથે ખાતમૂહુર્ત  કરવામાં આવશે. .

૮૫ – માણાવદર વિધાનસભાનો એ.પી.એમ.સી. -વંથલી ખાતે, ૮૬ – જૂનાગઢ વિધાનસભાનો કૈલાશ ફાર્મ, જૂનાગઢ ખાતે, ૮૭ – વિસાવદર વિધાનસભાનો નગર પંચાયત શાળા નગરપાલિકા ગ્રાઉન્ડ વિસાવદર ખાતે, ૮૮- કેશોદ વિઘાનસભાનો આહિર સમાજ વાડી, કેશોદ ખાતે અને ૮૯- માંગરોળ વિધાનસભાનો ટાવર ચોક ક્રિકેટ ગ્રાઉંડ, માંગરોળ ખાતે કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમોમા જૂનાગઢ જિલ્લામાં જુદી-જુદી આવાસ યોજના હેઠળ કુલ-૧૭૧૨ આવાસોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠાના ડીસાથી વર્ચ્યુઅલ માધ્યમથી રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં  ૧૮૨ ગુજરાત વિધાનસભા ક્ષેત્રો જોડાશે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!